Site icon Revoi.in

સુશાંતસિંહને હજુ નથી ભૂલી અંકિતા લોખંડે, ફેવરિટ કો-એક્ટર માને છે સુશાંતને

Social Share

દિલ્હીઃ સુશાંતસિહ રાજપુત અને અંકિતા લોખંડેની જોડી સિરીયલ પવિત્ર રિશ્મામાં પ્રથમવાર જોવા મળી મળી હતી. દર્શકોને તેમની ઓનસ્ક્રીન જોડી ખુજ જ પસંદ આવી હતી. આ દરમિયાન બંને એક બીજાની ખુબ જ નદીક આવી ગયા હતા. તેમજ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાઓ ટેલીવુડમાં થવા લાગી હતી. જો કે, ગયા વર્ષે જ સુશાંતસિંહ રાજપુતે આ દુનિયાને અલવિદા કર્યું હતું. બંન્ને વચ્ચેના સંબંધોનો વર્ષ 2016માં જ અંત આવ્યો હતો. આજે પણ અંકિતા લોખંડે સુશાંતને પોતાનો ફેવરિટ કો-સ્ટાર માને છે.

અભિનેત્રીએ એક ઈન્ટવ્યુહમાં જણાવ્યું હતું કે, સુશાંત અને મે પવિત્રા રિશ્તા સિરીયલમાં સાથે કામ કર્ચું હતું. બોલીવુડમાં પ્રવેશ પહેલા સુશાંત અન્ય કોઈ શોમાં જોવા મળ્યો ન હતો. જેથી હંમેશા સુશાંત મારો ફેરવિટ કો-કલાકાર રહેશે. જે લોકો મારી આંગળી ઉઠાવે તે મારા સંબંધ વિશે જાણતા નહીં હોય, આજે તમામ વસ્તુઓ માટે જવાબદાર માનવામાં આવે છે. આ લોકો તે સમયે ક્યાં ગયા હતા જ્યારે બધુ જ ખત્મ થઈ રહ્યું હતું. મારી કોઈ ભૂલ ન હતી. અંકિતા હાલ વિક્કી જૈન નામના બિજનેશ મેનને ડેટ કરી રહી છે. વિક્કી જૈન પણ અવાર-નવાર અંકિતાને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થાય છ.

અભિનેત્રીએ જણાવ્યું હતું કે, હું મારી સાથેના લોકોથી વધારે પજેસિવ છું. જો કોઈ જુઠુ બોલે તો મને પસંદ નથી. કોઈ મારી સાથે જુઠુ બોલે તો હું તેની તપાસ કરીને સત્ય જાણવાનો પ્રયાસ કરું છું.