Site icon Revoi.in

આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ત્રણ નવા એડિશનલ ન્યાયાધીશોની નિમણૂક: રાષ્ટ્રપતિની મંજૂરી

Social Share

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: દેશની ન્યાયિક પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવાના ભાગરૂપે રાષ્ટ્રપતિ દ્વારા આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ત્રણ નવા એડિશનલ (વધારાના) ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે યોગ્ય પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત થયેલા ન્યાયિક અધિકારીઓમાં શ્રીમતી સુનિતા ગંધમ, શ્રી આલાપતિ ગિરધર અને શ્રી પુરુષોત્તમ કુમાર ચિંતલપુડીનો સમાવેશ થાય છે. આ ત્રણેય ન્યાયિક અધિકારીઓ આગામી સમયમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે પોતાનો પદભાર સંભાળશે, જેનાથી હાઈકોર્ટની કામગીરીમાં વધુ સુદ્રઢતા આવશે.

Exit mobile version