1. Home
  2. Tag "Appointment"

રિપબ્લિક ઓફ નાઈજરમાં ભારતના આગામી રાજદૂત તરીકે સીતા રામ મીણાની નિયુક્તિ

નવી દિલ્હીઃ આજે બહાર પાડવામાં આવેલ એક અખબારી યાદીમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સીતા રામ મીણાજે હાલમાં મંત્રાલયમાં નિદેશક છે, તેઓને નાઈજર પ્રજાસત્તાકમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આશા છે કે તેઓ ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે. તમને જણાવી દઈએ કે નાઈજર એક લેન્ડલોક દેશ છે જે પશ્ચિમ આફ્રિકાના સહારા-સાહેલ ક્ષેત્રના 7 […]

યુજીસીની મહત્વપૂર્ણ કમિટીના ચેરમેનપદે ડો. શૈલેષ ઝાલાની નિમણૂંક

અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રાંટ કમિશને (UGC) અમદાવાદની પ્રસિદ્ધ સાયન્સ કોલેજ ‘એમ. જી. સાયન્સ ઇસ્ટીટ્યૂટ’ના કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ અને ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. શૈલેષ ઝાલાની એક એક્સપર્ટ કમિટીના ચેરમેનપદે નિમણૂંક કરી છે. આ કમિટીનું કાર્ય સમગ્ર દેશમાં હાયર એજ્યુકેશનમાં SC/ST/OBC/PWD/MINORITY માટે બનાવવામાં આવેલી યોજનાઓ તેમજ નિયમોનું પુનઃ મૂલ્યાંકન કરવાનું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ […]

રાજકોટના પોલીસ કમિશનર તરીકે 1995 બેંચના IPS રાજુ ભાર્ગવની નિયુક્તિ,

રાજકોટ :  ક્રાઈમ કેપિટલ બની રહેલા રાજકોટમાં છેલ્લા ઘણા મહિનાથી મહત્વની એવી પોલીસ કમિશનરની જગ્યા ખાલી હતી. અને કમિશનર તરીકે કોને જવાબદારી સોંપાશે. તેની ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. આખરે રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકે 1995 બેંચના આઈપીએસ રાજુ ભાર્ગવની નિયુક્તિ કરવામાં આવી છે. સૂત્રોના જમાવ્યા મુજબ  મહિનાઓ પહેલા રાજકોટ પોલીસ દ્વારા કથિત રીતે […]

ગુજરાત હાઇકોર્ટના સિનિયર ન્યાયધીશ જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના વધુ એક જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક થઈ છે. હાઈકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની ભલામણ કરી હતી. જે […]

જુનાગઢમાં મેયરની વરણીને લીધે અસંતોષ પાંચ કોર્પોરેટરોએ રાજીનામાંની ચીમકી આપી

જૂનાગઢઃ શહેરની મ્યુનિ,કોર્પોરેશનમાં ભાજપની બહુમતી છે. તાજેતરમાં ભાજપ દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી હતી. શહેરના નવા મેયરની વરણીને લઈ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ગીતા પરમારને મેયર બનાવાતા દલિત સમાજમાં નારાજગી જોવા મળી છે. નારાજગીના પગલે ભાજપના પાંચ નગર સેવકોએ રાજીનામાની ચીમકી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  જુનાગઢ શહેરના મેયર તરીકે ગીતા […]

ONGCની કમાન હવે મહિલાના હાથમાં સોંપાઇ, ચેરમેન-એમડી તરીકે અલકા મિત્તલની નિમણૂંક

ONGCની કમાન મહિલાના હાથમાં સોંપવામાં આવી ONGCના ચેરમેન અને એમડી તરીકે અલકા મિત્તલની નિમણૂંક પ્રથમ વખત આ પદે કોઇ મહિલાની નિમણૂંક નવી દિલ્હી: ભારતની દિગ્ગજ કંપનીઓમાં ONGC આવે છે ત્યારે હવે ONGCની કમાન એક મહિલાના હાથમાં સોંપવામાં આવી છે. ONGCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ કંપનીના એચઆર ડાયરેક્ટર અલકા મિત્તલને સોંપવામાં આવ્યો છે. પ્રથમ વખત […]

ગુજરાત કોંગ્રેસનું સુકાન જગદિશ ઠાકોરને સોંપાયુ, વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની નિયુક્તિ

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિધાનસભા વિપક્ષના નેતાપદે સુખરામ રાઠવાની નિયુક્તિ કરવામાં આવી છે. આમ તો ગઈ કાલે જ બન્નેના નામ નક્કી કરી દેવાયા હતા.પણ  તેની સત્તાવાર જાહેરાત આજે શુક્રવારે કરવામાં આવી હતી. જગદીશ ઠાકોર લડાયક ઓબીસી નેતાની છાપ ધરાવે છે, જ્યારે સુખરામ રાઠવા આદિવાસી નેતા છે. આમ કોંગ્રેસે ઓબીસી અને […]

ગાંધીનગરના મેયર તરીકે હિતેષ મકવાણાની વરણી, ડે.મેયરનો તાજ પ્રેમસિંહના શીરે

ગાંધીનગરઃ  શહેરમાં  મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં  મેયર તરીકે હિતેષ મકવાણાની તેમજ  ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાઇ હતી.  જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર […]

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષી નેતાની નિયુક્તિનો નિર્ણય પખવાડિયામાં લેવાઈ જશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસમાં પણ નેતાગીરી પરિવર્તનનો સળવળાટ શરૂ થયો છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી નિમાયા બાદ હવે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાને બદલવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ હાઇકમાન્ડે શનિવારે જ દિલ્હી બોલાવી લીધા હતા. દિલ્હીમાં  કોંગ્રેસની વર્કિંગ કમિટીની […]

ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસની નિમણૂક માટે સાત જેટલાં સિનિયર ધારાશાસ્ત્રીઓના નામની ભલામણ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં સાત જેટલા સિનિયર લોયર્સની જસ્ટિસ તરીકે નિમણુંક માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી એન. એસ. ભટ્ટના પુત્ર સંદીપ ભટ્ટ સહિત 7 સિનિયર વકીલોનો સમાવેશ થાય છે. સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code