Site icon Revoi.in

આઝાદીકા અમૃત મહોત્સવ, ગુજરાતની ધો.9થી 12ની તમામ સ્કૂલોમાં દોડનું આયોજન કરાશે

ALLAHABAD, INDIA - 2015/02/18: Students wearing masks to prevent getting infected by Swine flu as a girl infected by Swine flu at Indian Institute of Information Technology (IIIT). (Photo by Prabhat Kumar Verma/Pacific Press/LightRocket via Getty Images)

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં શાળાકીય સ્પોર્ટસ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેમાં  આઝાદી કા અમૃત મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની ધોરણ-9થી 12ની તમામ સ્કૂલોમાં 100 મીટરની દોડનું આયોજન કરવા આદેશ આપ્યો છે. સૌપ્રથમ સ્કૂલ કક્ષાએ દોડની સ્પર્ધાનું આયોજન કરી પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીની તાલુકા કક્ષાએ દોડમાં ભાગ લેશે. ત્યારબાદ તેમાંથી વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને 15 ઓગસ્ટના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી સુચના આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, રાજ્યની ધોરણ-9થી 12ની તમામ સ્કૂલોમાં 4 ઓગસ્ટ સુધીમાં 100 મીટરની દોડનું આયોજન કરવાનું રહેશે. બોર્ડ દ્વારા ડીઈઓને જિલ્લા રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તેમજ જિલ્લા વ્યાયામ મંડળ સાથે સંકલનમાં રહીને કાર્યક્રમનું આયોજન કરવા સુચના આપી છે. દોડના આયોજન બાદ માધ્યમિક વિભાગમાં પ્રથમ આવનારા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીની તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ આવનારા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીની તાલુકા કક્ષાએ દોડની સ્પર્ધામાં ભાગ લેશે. તાલુકા કક્ષાએ 5 ઓગસ્ટથી 6 ઓગસ્ટ દરમિયાન દોડની સ્પર્ધાનું આયોજન કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જિલ્લા કક્ષા માટે દોડની સ્પર્ધાનું આયોજન 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. આ સમગ્ર સ્પર્ધામાં માધ્યમિક વિભાગ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ માટે દોડનું અલગ આયોજન કરવાનું રહેશે. જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીને 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરાશે.