- રાજસ્થાનથી ઘેટા-બકરા ભરેલી એક ટ્રક અમદાવાદ જતી હતી
- માર્ગ અકસ્માતમાં 20 જેટલા પશુઓના પણ થયા મોત
- બે દિવસ અગાઉ પણ અકસ્માતમાં 3ના મોત થયા હતા
અમદાવાદઃ બનાસકાંઠામાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. ઘેટા-બકરા ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં 20 પશુઓના પણ મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનથી ઘેટા-બકરા ભરેલી ટ્રક અમદાવાદ જઈ રહી હતી. આ બસ પાલનપુર-અમદાવાદ હાઈવે પર એમબીપુરા પાટિયા પાસેથી પસાર થતી હતી. ત્યારે અન્ય એક સાથે અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ડ્રાઈવર-ક્લિનર સહિત ત્રણ લોકોના મોત થયા હતી. આ ઉપરાંત ટ્રકમાં રહેલા 20 જેટલા ઘેટા-બકરાના પણ મોત થયા હતા.
આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થલ પર દોડી ગયો હતો. તેમજ ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યારે જીવીત બચી ગયેલા પશુઓને પાંજરાપોળ મોકલી આપવા કવાયત શરૂ કરી હતી. માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત થયા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ પણ પાલનપુર-અમદાવાદ હાઈવે પર જ કાર અ બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિઓના મોત થયાં હતા. આમ ગણતરીના દિવસોમાં જ માર્ગ અકસ્માતના બે બનાવમાં કુલ છના મોત થયાં છે. પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર માર્ગ અકસ્માતના બનાવો અટકે તે માટે પગલા ભરવા માટે સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે.