Site icon Revoi.in

જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે બેન્કના કર્મચારીઓ સોમવારે હડતાળ પર જશે

Social Share

રાજકોટઃ   રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ વિવિધ માગણી સબબ હડતાળ કરી રહ્યા છે. આગામી તારીખ ર7મી જૂનના રોજ ફરી એક વખત હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે.
ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સૂત્રોએ જણાવ્યું હતું કે,  યુએફબીયુના આદેશ અનુસાર બેંકમાં પાંચ દિવસનું અઠવાડિયું, તમામ શનિ-રવિવારની રજા, પેન્શન અપડેશન અને પેન્શનના નિયમોમાં અપડેશનની જોગવાઈ, નવી પેન્શન યોજના નાબૂદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માગ સાથે રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓની 27મી જુને સોમવારે હડતાળ કરવાનું એલાન કરાયું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે,  તારીખ 25મી જૂનના રોજ મહિનાનો ચોથો શનિવાર, ર6 જૂનના રોજ રવિવારની રજા અને ર7મી જૂનના રોજ સોમવારે હડતાલને કારણે સતત ત્રણ દિવસ બેંક બંધ હોવાને કારણે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાશે.
રાષ્ટ્રીયકૃત બેંકના વર્કર્સ યુનિયને વધુમાં જણાવ્યું હતું કે પાંચ દિવસના બેન્કિંગ અંગે વિચારવામાં આવશે એવી સમજૂતી થયાને બાર વર્ષ વિતી ગયા પરંતુ આઈબીએ અને સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. પેન્શનની વિસંગતતા અંગે જણાવ્યું હતું કે 1986માં નિવૃત્ત થયેલા બેંકના જનરલ મેનેજરને 2022માં નિવૃત્ત થનારા ક્લાર્ક કે પટ્ટાવાળા જેટલું પેન્શન મળે છે. ઉપરાંત જૂની પેન્શન યોજના લાગુ કરવાની પણ માગ છે.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું ર1મીના રોજ સમાધાનના પ્રયાસ અંતર્ગત થયેલી વાટાઘાટ નિષ્ફળ જતા હડતાળ નિશ્ચિત છે. યુનિયન દ્વારા અગાઉ પણ ઘણીવાર રજુઆતો કરવામાં આવી હતી. હાલ નવી પેશન યોજનાને લીધે નિવૃત બાદ કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવી શકે તેટલું પણ પેન્શન મળતુ નથી. એટલે જુની પેન્શન યોજનાને લાગુ કરવાની કર્મચારીઓ માગ કરી રહ્યા છે.