Site icon Revoi.in

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક,આ નેતાઓ રહ્યા હાજર

Social Share

દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે, જે પહેલા શનિવારે અહીં રાજકીય પક્ષોના નેતાઓ શિયાળુ સત્રના એજન્ડા પર ચર્ચા કરવા બેઠક કરી રહ્યા છે. આ બેઠક સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવી છે અને તેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, ગૌરવ ગોગોઈ અને પ્રમોદ તિવારી, તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાય, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા ફૌઝિયા ખાન અને આરએસપી નેતા એન કે પ્રેમચંદ્રન સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે જેમાં 15 બેઠકો યોજાશે. આ સત્રમાં, વસાહતી યુગના ફોજદારી કાયદાઓને બદલવા માટેના ત્રણ ખરડા સહિત મુખ્ય બિલોના ડ્રાફ્ટ પર ચર્ચા થવાની અપેક્ષા છે.’પૈસા લઈને પ્રશ્નો પૂછવા’ બાબતે લોકસભા સમિતિનો અહેવાલ પણ સત્રના પ્રથમ દિવસે સોમવારે ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ અહેવાલમાં તૃણમૂલ નેતા મહુઆ મોઇત્રાને નીચલા ગૃહમાંથી હાંકી કાઢવાની ભલામણ કરવામાં આવી છે.

સંસદમાં હાલમાં 37 બિલ પેન્ડિંગ છે, જેમાંથી 12 વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ છે, અને સાત બિલો પ્રસ્તાવના, વિચારણા અને પસાર કરવા માટે સુનિશ્ચિત છે. આમાં વસાહતી યુગના ફોજદારી કાયદાઓને બદલવા માટેના ત્રણ બિલનો સમાવેશ થાય છે – ભારતીય દંડ સંહિતા, ફોજદારી પ્રક્રિયાની સંહિતા અને પુરાવા અધિનિયમ.