Site icon Revoi.in

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે લીધા શપથ, મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત

Social Share

અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી પામેલા ભુપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગરમાં સીએમ પદના શપથ લીધા હતા. રાજ્યભવન ખાતે આયોજીત શપથ વિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને શપથ લેવડાવ્યાં હતા. આ પ્રસંગ્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ચાર રાજ્યોના ભાજપના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા. શપથ ગ્રહણ કર્યા બાદ ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યાં હતા. અમિત શાહે તેમને શુભકામનાઓ પાઠવી હતી.

ભાજપના ધારાસભ્ય દળમાં નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે સાંજે જ ભુપેન્દ્ર પટેલ તથા અન્ય આગેવાનો રાજ્યપાલને મળવા ગયા હતા. જ્યાં તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. દરમિયાન આજે બપોરના સમયે રાજ્યભવન ખાતે શપથવિધી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભુપેન્દ્ર પટેલ સવારે જ પૂર્વ સીએમ વિજય રૂપાણી અને નીતિન પટેલને મળ્યાં હતા. આ ઉપરાંત સી.આર.પાટીલની પણ મુલાકાત લીધી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. આ ઉપરાંત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, ગોવાના મુખ્યમંત્રી, હરિયાણાના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના મુખ્યમંત્રી પણ શપથવિધિમાં ઉપસ્થિત રહ્યાં હતા.

રાજભવન ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં અમિત શાહ, પ્રલાદ જોશી, નરેન્દ્રસિંહ તોમર, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, વિજય રૂપાણી, નીતિન પટેલ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુપેન્દ્ર પટેલને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા.