Site icon Revoi.in

બ્લડ સુગર લેવલ વધી જાય છે? તો ચિંતા ન કરો, તેને કંટ્રોલ કરી શકાય છે

Social Share

તહેવારોના સમયમાં આપણા દેશમાં મીઠાઈ સૌથી વધારે વેચાય છે, દુકાનો પર ખરીદી માટે તો લોકોની ભીડ જામતી હોય છે આવામાં કેટલાક લોકોને ચિંતા પણ થતી હોય છે અને તેનું કારણ હોય છે તેમના શરીરમાં રહેલી કેટલીક સમસ્યા. જ્યારે પણ તહેવાર આવે ત્યારે લોકોને ગળી વસ્તુ વધારે ખાવાનું મન થતું હોય છે પણ સુગર લેવલ વધી જવાના કારણે તેઓ ખાઈ શકતા નથી પણ હવે તે લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સુગર લેવલને પણ કંટ્રોલ કરી શકાય છે.

રક્ષાબંધનના તહેવારમાં હજુ થોડા દિવસો બાકી છે અને તમારે પલાળેલી મેથીના દાણાનું પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આયુર્વેદમાં મેથીના દાણાથી સંબંધિત ઘણા સ્વાસ્થ્ય સંભાળ ઘરગથ્થુ ઉપચારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે, મેથીના દાણાનું નિયમિત પાલન કરીને, તમે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ ઘટાડી શકો છો.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તુલસીના પાનની તો તે પણ સુગર લેવલને ઓછું કરવામાં મદદ કરી શકે છે. એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-બાયોટિક, એન્ટિ-એજિંગ અને એન્ટિફંગલ જેવા ગુણો ધરાવતા તુલસીના પાનથી સુગર લેવલને પણ નિયંત્રણમાં રાખી શકાય છે. આયુર્વેદ અનુસાર, આ તમામ ગુણધર્મો કોષોની કાર્ય શક્તિને સુધારે છે જે ઇન્સ્યુલિનને સંગ્રહિત કરે છે અને છોડે છે.

ગ્રીન ટી પીવાના ઘણા ફાયદા આયુર્વેદમાં જ નહીં પણ એલોપેથીમાં પણ જણાવવામાં આવ્યા છે, જેમાંથી એક બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનો છે. તેમાં પોલિફીનોલ્સ હોય છે, જે એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ છે. નિષ્ણાતો કહે છે કે તે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.