Site icon Revoi.in

RBIએ ટોકનાઇઝેશનના નિયમો કર્યા જાહેર, 1 જાન્યુઆરી, 2022થી ઑનલાઇન કાર્ડ પેમેન્ટની રીત બદલાઇ જશે

Social Share

નવી દિલ્હી: RBIએ ટોકનાઇઝેશનના નવા નિયમો જાહેર કર્યા છે. તેનાથી હવે કાર્ડથી ચૂકવણી કરવાની રીતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. RBI કાર્ડ જાહેરકર્તાને ચૂકવણી એગ્રીગેટર તેમજ વેપારીઓની સાથે કાર્ડ ટોકન કરવાની મંજૂરી આપે છે. તે ઉપરાંત નવા નિયમોમાં પ્રાઇવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

RBIના ટોકેનાઇઝેશનના નિયમો અંતર્ગત એગ્રીગેટર, વેપારીઓને ડિસેમ્બર 2021 બાદ ગ્રાહક કાર્ડ વિવરણ સંગ્રહિત કરવાની પરવાનગી નથી. આ સાથે ટોકન વ્યવસ્થા અંતર્ગત દરેક ચૂકવણી પર કાર્ડ વિવરણ ઇનપુટ કરવાની કોઇ જરૂર રહેશે નહીં. આગામી નવા વર્ષોથી આ નિયમો લાગુ થઇ જશે.

નવા નિયમો અંતર્ગત કાર્ડ ધારકના ડેટાની ગોપનીયતાનું ધ્યાન રખાયું છે. નવા નિયમો અંતર્ગત, ઇશ્યૂ કરનાર બેંક અથવા કાર્ડ નેટવર્ક સિવાય કાર્ડ પેમેન્ટ પર કોઇ ભૌતિક કાર્ડ ડેટા સ્ટોરેજ કરી શકાશે નહીં. પરંતુ ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ માટે મર્યાદિત ડેટા સ્ટોર કરી શકાય છે. આમા, મૂળ કાર્ડ નંબર અને કાર્ડ રજૂ કરનારના નામના છેલ્લા ચાર અંકો સ્ટોર કરવાની મંજૂરી અપાશે.