Site icon Revoi.in

બેંકોમાં હવે ચેક પેમેન્ટના નિયમોમાં થયો ફેરફાર, જાણો શું છે નવો નિયમ?

Social Share

નવી દિલ્હી: જો તમે પણ રોજિંદા જીવનમાં ચેક વડે પેમેન્ટ કરવાની આદત છે તો આ ન્યૂઝ તમારા માટે મહત્વના છે. હવે કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને ચેક આપતા પહેલા તમારે RBIના નવા નિયમથી માહિતગાર હોવું જરૂરી છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ 1 ઑગસ્ટના રોજ બેકિંગ નિયમોમાં ફેરફાર કર્યા છે. RBIએ નેશનલ ઑટોમેટેડ ક્લીયરિંગ હાઉસને હવે 24 કલાક 7 દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તમામ રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી બેંકોમાં આ નવો નિયમ લાગૂ પડશે.

RBIના નવા નિયમો હેઠળ હવે રજાના દિવસે પણ તમારે ચેક ક્લિયર થઇ જશે. પરંતુ તમારે તેમા સાવધ રહેવાની આવશ્યકતા છે. એનું કારણ એ છે કે હવે શનિવારે ઇશ્યૂ કરવામાં આવેલા ચેક રવિવારે પણ ક્લીયર થઇ શકે છે. અર્થાત્ તમારે ચેકના ક્લીયરન્સ માટે દરેક વખતે જરૂરી બેલેન્સ રાખવું અનિવાર્ય બનશે અન્યથા તમારો ચેક બાઉન્સ થશે અને તમને પેનલ્ટી લાગી શકે છે.

શું છે NACH પેમેન્ટ સિસ્ટમ

NACH એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા કરે છે. જે ઘણા પ્રકારના ક્રેડિ ટ્રાંસફર જેમ કે ડિવિડન્ડ, ઇન્ટરેસ્ટ, સેલેરી અને પેન્શનની સુવિધા આપે છે. તે ઉપરાંત અન્ય સુવિધાઓમાં ગેસ, ટેલિફોન, ઇલેક્ટ્રિસિટી બિલનું પેમેન્ટ, EMI, સામેલ છે. હવે તમે આ બધી જ સુવિધાઓ સોમથી શુક્રની પ્રતિક્ષા કર્યા વગર રોજ લાભ ઉઠાવી શકો છો.