Site icon Revoi.in

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ સોલર પાવરથી ઈંઘણ બનાવવાની ટેકનોલોજી વિકસાવી

Social Share

નવી દિલ્હીઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ સોલાર પાવરથી ઈંધણ બનાવવાની રીત શોધી કાઢી છે. સંશોધકે એક કૃત્રિમ પર્ણ વિકસાવ્યું છે. આ પાંદડાની મદદથી તે સૂર્યપ્રકાશની શક્તિનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડને પ્રવાહી બળતણમાં રૂપાંતરિત કરી શકે છે. આ પ્રવાહી બળતણનો સીધો ઉપયોગ વાહનોમાં ડ્રોપ-ઈન ઈંધણ તરીકે થઈ શકે છે.

નેચર એનર્જી જર્નલમાં ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા એક સંશોધન પેપરમાં કૃત્રિમ પ્રકાશસંશ્લેષણનો ઉપયોગ કરીને આ સિંગલ-સ્ટેપ પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. સંશોધકોએ કહ્યું કે, અમે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૂર્યપ્રકાશને બે મલ્ટી-કાર્બન ઇંધણ – ઇથેનોલ અને પ્રોપેનોલમાં રૂપાંતરિત કરીને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને પુનરાવર્તિત કરશે.

સંશોધન પેપરના પ્રથમ લેખક મોતિયાર રહેમાને જણાવ્યું હતું કે આ ખ્યાલનો પહેલો પુરાવો છે જ્યાં અમે એક સ્વતંત્ર કૃત્રિમ પાંદડાનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશથી ચાલતા મલ્ટિ-કાર્બન આલ્કોહોલ જનરેશન બતાવી રહ્યા છીએ. આ તબક્કામાં આપણે માઇક્રોમોલ્સમાં આલ્કોહોલ બનાવીએ છીએ.

ઉપકરણને તેની કાર્યક્ષમતા વધારવા માટે વધુ ઑપ્ટિમાઇઝેશનની જરૂર છે, જેના પર અમે કામ કરી રહ્યા છીએ. તે પછી બળતણના મોટા પાયે ઉત્પાદન માટે ઉપયોગ કરી શકાય છે. સૌથી સારી વાત એ છે કે આવા ઈંધણનો સીધો ઉપયોગ વાહનોમાં થઈ શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

જો આ પ્રકારની ટેક્નોલોજીને વધુ વિકસાવવામાં આવે તો તે પેટ્રોલનો સારો વિકલ્પ બની શકે છે. ભારતમાં પેટ્રોલથી ચાલતા મોટાભાગના વાહનો હવે પેટ્રોલ અને 10 ટકા ઇથેનોલના મિશ્રણ પર ચાલે છે. આ સંદર્ભે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) પર લક્ષ્ય હાંસલ કરવાની જાહેરાત કરી હતી. બાયોઇથેનોલને ઘણીવાર ગેસોલિનના ક્લીનર વિકલ્પ તરીકે જોવામાં આવે છે, કારણ કે તે અશ્મિભૂત ઇંધણને બદલે છોડમાંથી બનાવવામાં આવે છે.