Site icon Revoi.in

સાઉદી અરેબિયા, બેહરીનમાંથી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી દૂર કરવા સિરામિક ઉદ્યોગકારોએ કરી રજુઆત

Social Share

મોરબીઃ શહેરનો સિરામિક ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. ચીનની હરિફાઈનો સામનો કરી રહેલા સિરામિક ઉદ્યોગકારોએ અનેક વિટંબણાનો સામનો કરવો પડ્યો છે. સિરામિક ઉત્પાદન ઉપર જીસીસીના 6 દેશો પૈકી હવે ફક્ત બહેરીન અને સાઉદી અરેબિયામાં એન્ટી ડંપિંગ ડ્યુટી લાગતી હોય જે દૂર કરવા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા દિલ્હી ખાતે વાણિજ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતા ટૂંક સમયમાં જ બન્ને દેશનો પ્રશ્ન હલ થાય તેવા સકારાત્મક અભિગમ સાથે પ્રત્યતર મળતા સિરામિક ઉદ્યોગ આશાવાદી બન્યો છે અને જો આ બાબતે બન્ને દેશો વહેલી તકે સહમત થઇ જશે તો સિરામિક ઉદ્યોગને જબરો ફાયદો થવાની શક્યતા છે.

સૂત્રોના જમાવ્યા મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગની પ્રોડક્ટ ઉપર જુન 2020થી જીસીસીના છ દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગેલી હતી. તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગના જીસીસીના દેશોમા એક્સપોર્ટ ઉપર મોટો ફટકો પડતા જેના અનુસંધાને જીસીસીના એન્ટી ડમ્પિંગના પ્રશ્નો માટે સાસંદ મોહનભાઈ કુંડારીયા મારફતે વાણિજ્યમંત્રી પિયુષ ગોયલને રજૂઆતો કરાતા કેન્દ્ર સરકારના સતત પ્રયત્નોથી હાલમાં જીસીસીના 6 દેશોમાથી ફક્ત બહેરીન અને સાઉદી અરેબીયા, આ બન્ને દેશોમા જ ડ્યુટી લાગે છે.  આ બન્ને દેશોમા લાગતી ડ્યુટીના પ્રશ્નો માટે કોમર્સ મિનીસ્ટ્રી દ્વારા સતત કરી રહેલા પ્રયત્નો માટે સાસંદ મોહન કુંડારીયાની આગેવાનીમા મોરબી સિરામિક એસોશિએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા તેમજ વિજયભાઈ પટેલ, પ્રદીપભાઈ કાવઠીયા દ્વારા દિલ્હી ખાતે વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ તેમજ કોમર્સ મિનીસ્ટ્રીના અઘિકારીઓ સાથે બેઠક યોજી રજૂઆત કરતા બન્ને દેશોમા લાગતી ડ્યુટી માટે સકારાત્મક પરિણામ આવશે તેવી કેન્દ્રીય મંત્રીએ ખાતરી આપી હોવાનું સિરામિક એસોસીએશને જણાવ્યું હતું. જે નિર્ણય અંગે આગામી થોડા સમયમાં જ પરિણામ દેખાશે.

Exit mobile version