Site icon Revoi.in

પ્રયાગરાજ: કલાઈવ રોડનું નામ અમલ ઉજાલાના અતુલ મહેશ્વરીના નામ ઉપરથી રખાયું

Social Share

પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સના ક્લાઈવ રોડનું નામ અમર ઉજાલાના ઈનોવેટર અતુલ મહેશ્વરીના નામ પરથી રાખવામાં આવ્યું છે. મેયર અભિલાષા ગુપ્તા નંદીએ આ રોડના નવા નામકરણના સ્ટીલ ફ્રેમિંગ રેડિયમ બોર્ડનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ઉત્તરના ધારાસભ્ય હર્ષવર્ધન બાજપાઈ સહિત શહેરના તમામ વેપારી અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મેયરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રાર્થના કર્યા બાદ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, અમર ઉજાલાને નવુ સ્વરૂપ આપનાર અતુલ મહેશ્વરીના નામ પરથી નામકરણ કરવાથી આવનારી પેઢીને પ્રેરણા મળશે. અતુલ મહેશ્વરીએ સમાજને નવી દિશા આપવાનું કામ કર્યું હતુ. સિવિલ લાઇનમાં અમર ઉજાલા દ્વારા આયોજિત કાર્નિવલ પોતાનામાં એક અનોખું આયોજન છે. લોકોને જાગૃત કરવાનું કામ અખબાર કરી રહ્યું છે. અમર ઉજાલાએ શહેરના દરેક ઘરમાં પ્રવેશ કર્યો છે. તેમણે શહેરના લોકોને તેમની વાતચીત અને વર્તનમાં આ રોડનું નામ લાવવા અનુરોધ કર્યો હતો. હવે તેને આ નવા નામથી બોલાવવું જોઈએ.

ધારાસભ્ય હર્ષવર્ધન બાજપાઈએ પણ આ રોડનું નામ બદલીને અતુલ મહેશ્વરી માર્ગ રાખવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, અતુલ મહેશ્વરીએ પત્રકારત્વ ક્ષેત્રે આપેલા યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. અમર ઉજાલા તેમના બતાવેલા માર્ગ પર ચાલીને ઊંચાઈને સ્પર્શી રહી છે.

ક્લાઈવ રોડનું નામ બદલીને અતુલ મહેશ્વરી માર્ગ કરવાનો પ્રસ્તાવ નગર નિગમ સમિતિ દ્વારા ગૃહના ફ્લોર પર મૂકવામાં આવ્યો હતો, જેને ગૃહમાં ચર્ચા બાદ અવાજ મતથી પસાર કરવામાં આવ્યો હતો. સિવિલ લાઇન્સમાં એક્સિસ બેંક તિરાહેથી કાનપુર રોડ સુધીના આ રોડ લિંકના નવા નામકરણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરોની ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપિત સ્ટીલ ફ્રેમિંગ બોર્ડ મેળવ્યું હતું.

તેમજ સમારંભમાં રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં શહેરના ઉદ્યોગપતિ વિજય અરોરા, સુશીલ ખરબંદા, યોગેન્દ્ર ગોયલ, કાઉન્સિલર મુકુંદ તિવારી, ભોલા તિવારી, અખિલેશ તિવારી, મનોજ મિશ્રા, આકાશ સોનકર, કુસુમલતા ગુપ્તા, અનિલ સિંહ ઉર્ફે બબલુ ફનટાઇમ, શિક્ષણવિદો, ડોક્ટર્સ, કલાકારો અને સામાજિક કાર્યકરોએ ભાગ લીધો હતો.