Site icon Revoi.in

સીએમ યોગીએ લખનૌમાં મનાવ્યો જીતનો જશ્ન  – બહુમત માટે માન્યો જનતાનો આભાર

Social Share

 

લખનૌઃ- વિધાન સભાની ચૂંટણીના પરિણામોમાં ઉત્તરપ્રદેશની જો વાત કરવામાં આવે તો સીએમ યોગીએ સત્તા જાળવી રાખી છે પ્રચંડ બહુમત સાથે જીત મેળવતા બીજેપીની પાર્ટીમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.આ સાથે જ સીએમ યોગી આદિત્યનાથ એ લખનૌ ખાતે પોતાની જીતનો જશ્ન મનાવ્યો છે.

ઉત્તર પ્રદેશની રાજકીય જંગનો અંત આવવાને આરે છે ત્યારે મોટાભાગની બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં લખનૌમાં ભાજપ કાર્યાલયમાં હોળીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે અને સીએમ યોગીએ પાર્ટી કાર્યાલયમાં કાર્યકરો અને જનતાનો આભાર વ્યક્ત કર્યો છે.આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.