Site icon Revoi.in

CM યોગી આજે કરશે અયોધ્યાના શ્રી રામ એરપોર્ટનું નિરીક્ષણ,પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ સ્થળો માટે ફ્લાઈટ શરૂ થશે

Social Share

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે છે. તેમની સાથે નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહેશે. આ દરમિયાન સીએમ યોગી અયોધ્યામાં બની રહેલા શ્રી રામ એરપોર્ટનું નિરીક્ષણ કરશે.રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ શ્રી રામ એરપોર્ટ પરથી હવાઈ ઉડાન શરૂ થઈ શકે છે. ડીજીસીએની ટીમે પણ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું છે. અહીં સૌથી પહેલા દિલ્હી અને અમદાવાદની ફ્લાઈટ શરૂ કરી શકાશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વીકે સિંહનું હેલિકોપ્ટર સવારે 11:10 વાગ્યે અયોધ્યાના રામ કથા પાર્ક હેલિપેડ પર ઉતરશે. આ પછી બંને લોકો અહીંથી અયોધ્યાના હનુમાનગઢી જશે. ત્યારબાદ રામલલાના દર્શન અને પૂજા પણ કરશે. દર્શન અને પૂજાના કાર્યક્રમ બાદ સીએમ યોગી બપોરે 12:10 વાગ્યે શ્રી રામ એરપોર્ટ પહોંચશે. અહીં તેઓ શ્રી રામ એરપોર્ટ પર નિરીક્ષણ કાર્ય કરશે. એરપોર્ટનું નિરીક્ષણ કર્યા બાદ સીએમ યોગી લખનઉ જવા રવાના થશે. તેમની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા અને બીકે સિંહ પણ હાજર રહેશે.

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સવારે 9:15 વાગ્યે ગ્વાલિયરથી હવાઈ માર્ગે લખનઉ જવા રવાના થશે. તેઓ સવારે 9.55 કલાકે લખનઉ એરપોર્ટ પહોંચશે. આ પછી તેઓ 10.40 વાગ્યે લખનૌથી અયોધ્યા જવા રવાના થશે. તેઓ સવારે 11.10 વાગ્યે અયોધ્યા પહોંચશે. અહીં શ્રી રામ એરપોર્ટનું નિરીક્ષણ કર્યા બાદ બપોરે 12.50 વાગ્યે અયોધ્યાથી લખનઉ માટે રવાના થશે. લખનઉ પહોંચ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા બપોરે 2.40 કલાકે હવાઈ માર્ગે ગ્વાલિયર જવા રવાના થશે.