Site icon Revoi.in

Netflix પરથી વિવાદીત ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ હટાવી દેવાઈ, ફિલ્મને લઈને વધુ એક પોલીસ ફરિયાદ

Social Share

મુંબઈઃ સાઉથની અભિનેત્રી નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ને લઈને વિવાદ વધી રહ્યો છે. ફિલ્મના નિર્માતાઓ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપો છે, જેના માટે ઘણા કેસ પણ નોંધવામાં આવ્યા છે. ગુરુવારે ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. લોકોએ Netflix ઓફિસની બહાર ઉગ્ર પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ નિર્માતાઓએ નિવેદન જારી કરીને OTT પ્લેટફોર્મ Netflix પરથી ફિલ્મ હટાવી દીધી હતી. જો કે, ફિલ્મ હજુ પણ OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
વિશ્વ હિન્દુ પરિષદે ફિલ્મ પાછળની ટીમને ચેતવણી આપ્યા બાદ Netflixએ લેડી સુપરસ્ટાર નયનતારાની 75મી ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ હટાવી દીધી હતી. આ ફિલ્મ હજુ પણ સિમ્પલી સાઉથ પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે, જે સ્ટ્રીમિંગ સેવા છે. તે યુ.એસ.ના લોકો માટે ઉપલબ્ધ છે જેમની પાસે સબ્સ્ક્રિપ્શન છે તેઓ તેને માત્ર તમિલમાં જોઈ શકે છે. આ વિવાદો વચ્ચે આજે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ‘અન્નપૂર્ણાની’ અભિનેત્રી નયનથારા અને અન્ય સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. મીરા-ભાઈંદરના રહેવાસી 48 વર્ષીય ફરિયાદીએ નયા નગર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે આ ફિલ્મ લવ જેહાદને પણ પ્રોત્સાહન આપે છે. નયા નગર પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરે જણાવ્યું કે, કલાકાર અને ફિલ્મના નિર્માતા સહિત આઠ લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.