Site icon Revoi.in

કોરોનાનુ સંક્રમણ વધતા પોલીસ દ્વારા નિયંત્રણોને લઈને ચુસ્ત અમલ, 3996 લગ્ન પ્રસંગમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ

Social Share

અમદાવાદઃ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત 27 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલાક નિયંણત્રો લાદવામાં આવ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા કોરોનાની ગાઈડલાઈનના પાલનને ચુસ્ત કાર્યવાહી શરૂ કરી છે. લગ્ન પ્રસંગ્ર સહિતના મેળાવડામાં 150 વ્યક્તિઓને એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી છે. દરમિયાન 7 દિવસના સમયગાળામાં પોલીસ દ્વારા 3996 લગ્ન પ્રસંગમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈનના જાહેરનામા ભંગ બદલ એક અઠવાડિયામાં લગભગ 3830 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 3206 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ જાહેરમાં થૂકવા બદલ કુલ 25,745 વ્યક્તિઓ પાસેથી 2.56 કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. કર્ફ્યૂ સમયમાં વાહન લઇને ફરતા શખ્સો વિરુદ્ધ પણ કાર્યવાહી કરીને 3142 વાહન જપ્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી હોય 150થી વધુ લોકો પણ ભેગા થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. દરમિયાન પોલીસે લગ્નમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે સાત દિવસમાં કુલ 3996 લગ્ન પ્રસંગમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. જેમાં માસ્ક ન પહેરવા બદલ 42 વ્યક્તિઓ વિરુદ્ધ તથા અન્ય ગાઈડલાઈનના ભંગ બદલ કુલ 11 ગુના નોંધવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે વિવિધ શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ રાત્રિના સમયે કરફ્યુનો ભંગ કરીને ફરવા નીકળતા લોકો સામે પમ કાર્યવાહી કરવામાં આવી રહી છે.