Site icon Revoi.in

દિલ્હી આપના નેતા સત્યેન્દ્ર જૈનની જેલમાં તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

Social Share

દિલ્હીઃ- આમ આદમી પાર્ટીના ભૂતપૂર્ન નેતા એવા સ્તયેન્દ્ર જૈન છેલ્લા કેટલાક મહિનાઓથી જેલમાં બંધ છે જ્યાં અવાર નવાર તેમની તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવતા હતા ત્યારે ફરી તેઓની તબિયત ખરાબ થી હોવાના એહવાલ મળ્યા છે જેને લઈને તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સત્યેન્દ્ર જૈનનીતબિયત લથડી છે. સત્યેન્દ્ર જૈનની તબિયત બગડવાની ફરિયાદ બાદ આજરોજ સોમવારે  સવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં તેઓને લાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું વજન 35 કિલો ઘટી ગયું છે.સત્યેન્દ્ર જૈનનું વજન ઉતરી ગયા હોવાના સમાચાર બે દિવસ પહેલા વાયુવેગ ફરતા થયા હતા તેમની તબિયત પહેલા કરતા ઘણી ખરાબ હોવાનું કહેવાય રહ્યું છે.

સત્યેન્દ્ર જૈને પોતે જેલ પ્રશાસનને જાણ કરી હતી કે તેમની તબિયત સારી નથી. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.જોકે, સત્યેન્દ્ર જૈનને શા માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તે અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી જો એમ કહેવાય રહ્યું છએ તે તેમની તબિયત સારી નથી.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2023માં, દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગના કેસમાં સત્યેન્દ્ર જૈન અને તેના બે સહયોગીઓની જામીન અરજીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ  દ્વારા તપાસમાં ફગાવી દીધી હતી. સત્યેન્દ્ર જૈન ગયા વર્ષે 30 મે 2023થી કસ્ટડીમાં છે.