- મ્યાનમારમાં ડેલ્ટાની દહેશત
- વધતા જતા કેસો વચ્ચે ઓકર્સિજનની અછત
દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી મ્યાનમારમાં કોરોના વાયરસના કેસો ફરીથી વધતા જોવા મળી રહ્યા છે.દેશભરમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે.ત્યારે હવે મ્યાનમારમાં વધતા જતા ડેલ્ટાના કેસો સરકારની ચિંતા વધારી રહ્યા છે, એક બાજપ કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ અને બીજી તરફ કોરોનાના વધતા કેસો ફરીથી દેશના લોકોમાં ડર ફેલાવી રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કોરોનાની નવી લહેરને કારણે દૈનિક મૃત્યુમાં વધારો થયેલો જોઈ શકાય છે. કોરોના સંક્રમણના આંકડામાં વધારાને લઇને સરકાર ચિંતિત છે, જ્યારે લોકો પણ ડરી ગયા છે. દર્દીઓની વધતી જતી સંખ્યામાં ઓક્સિજન સપ્લાય ઘટ્યો છે. ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે.
દેશના સૌથી મોટા શહેર યાંગૂનમાં કોરોનાના કેસોમાં મોટો વધારો નોંધાયો છે. કોરોનાને કારણે થયેલા મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. દરરોજ 200 થી વધુ મોત થઈ રહ્યા છે. પરિવારને અંતિમ સંસ્કારની રાહ જોવી પડી રહ છે. છેલ્લા બે મહિનાથી મ્યાનમારમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થવાનું શરૂ થયું હતું અને છેલ્લા બે અઠવાડિયા દરમિયાન નોંધાયા છે.