Site icon Revoi.in

વધતી ઉંમર સાથે આંખોની રોશની ઓછી સમસ્યાથી રાહત મેળવવા આટલું કરો

Social Share

ક્યારેક વધતી ઉંમરને કારણે તો ક્યારેક અન્ય કોઈ કારણોસર આપણી આંખોની રોશની ઓછી થતી રહે છે. જ્યારે આંખોની રોશની ઓછી થવા લાગે છે, ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ અને વિચારવા લાગીએ છીએ કે હવે શું કરવું. ક્યારેક આપણે ડૉક્ટરનો સંપર્ક કરીએ છીએ તો ક્યારેક ઘરેલું ઉપાયો અપનાવવાનું શરૂ કરીએ છીએ. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે આહારમાં આટલો ફેરફાર કરો…

ખાટા ફળોનું સેવનઃ જો તમે ઇચ્છો છો કે તમારી આંખોની રોશની અકબંધ રહે, તો તમારે તમારા આહારમાં ખાટા ફળોનો સમાવેશ કરવો જોઈએ. આ ફળોમાં વિટામિન-સી જોવા મળે છે, જેના કારણે તેનું સેવન કરવાથી તમારી આંખોની રોશની સુધરે છે.

ડ્રાયફ્રૂટ્સનું સેવનઃ જો તમે તમારી આંખોની રોશની સુધારવા માંગતા હો, તો તમારે કાજુ, કિસમિસ, બદામ, પિસ્તા અને મખાના જેવા સૂકા ફળોનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓ વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે.

ગાજર પણ ફાયદાકારકઃ ગાજરનું સેવન તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન A અને C તેમજ અનેક પ્રકારના ખનિજો હોય છે. જ્યારે તમે તેનું નિયમિત સેવન કરો છો, ત્યારે તમારી દૃષ્ટિ સુધરે છે.

જો તમે વૃદ્ધાવસ્થામાં પણ તમારી દૃષ્ટિ જાળવી રાખવા માંગતા હો, તો આ માટે માછલીથી સારું કંઈ નથી. માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે તમારી આંખોના રેટિનાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.