Site icon Revoi.in

જયપુર અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી રહી તીવ્રતા

Closeup of a seismograph machine earthquake

Social Share

જયપુર : રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીની વેબસાઈટ અનુસાર, ભૂકંપ સવારે 4:10 કલાકે આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની કોઈ તાત્કાલિક જાણ નથી.

એક કલાકમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો 4:10 મિનિટે, બીજો 4:23 મિનિટે અને ત્રીજો 4:25 મિનિટે આવ્યો હતો. તે જ સમયે, મણિપુરના ઉખરુલમાં સવારે 05:01 વાગ્યે 3.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

જયપુરમાં ભૂકંપના આંચકાના કારણે ઘરોમાં સૂતેલા લોકોની ઊંઘ અચાનક ઉડી ગઈ હતી. શહેરની કોલોનીઓના બિલ્ડીંગોમાં રહેતા રહીશો બહાર દોડી આવ્યા હતા. દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડતો જોવા મળ્યો હતો.

ભૂકંપની તીવ્રતા ખૂબ જ તીવ્ર હતી જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર રાજધાની જયપુર હતું. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી, પરંતુ ભૂકંપનો પહેલો આંચકો ખૂબ જ જોરદાર હતો, જેના પછી દરેક લોકો પોતાના ઘર છોડીને ભાગતા જોવા મળ્યા હતા.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

Exit mobile version