Site icon Revoi.in

મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ  

Social Share

શિલોંગ:નવા વર્ષમાં દેશમાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.1 જાન્યુઆરીએ, રાત્રે 11:28 વાગ્યે, મેઘાલયના નોંગપોહમાં રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નોંગપોહમાં જમીનથી 10 કિમી દૂર હતું.અત્યાર સુધી ભૂકંપથી કોઈ મોટું નુકસાન થયું નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે,આ પહેલા શનિવાર-રવિવારની મોડી રાત્રે લગભગ 1.19 વાગ્યે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.તેનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું. તેની ઊંડાઈ જમીનથી 5 કિ.મી. નીચે હતી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.