Site icon Revoi.in

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી : મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે લગભગ 10.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 90 કિલોમીટર નીચે નોંધાયું હતું.જોકે,આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

હજુ ગઈકાલે જ ગુજરાતના કચ્છમાં બપોરે 1.19 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ હતું. જે કચ્છ થી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ આવેલુ છે.આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.