Site icon Revoi.in

મ્યાનમારમાં અનુભવાયા ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 6.1 ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી:મ્યાનમારના બર્મામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ વહેલી સવારે 3.52 કલાકે આવ્યો હતો.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.

કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબારમાં છેલ્લા 24 કલાકમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ટાપુ વિસ્તારમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. હકીકતમાં, કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન અને નિકોબારમાં શનિવારે બપોરે 2.30 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.