Site icon Revoi.in

460 કરોડ વર્ષ જૂના ઉલ્કાપિંડમાંથી મળ્યા પાણીના પુરાવા, કેમ મહત્વની છે આ શોધ

Social Share

પાણીની શોધ માટે માણસ હવે ચંદ્ર અને મંગળ સુધી પહોંચ્યો છે. પાણી ખુબ જરૂરી વસ્તુ પણ છે અને તેના વગર જીવન શક્ય નથી. આવા સમયમાં વિજ્ઞાનીઓ દ્વારા એવી શોધ કરવામાં આવી છે જેને હાલ ખુબ મહત્વની ગણવામાં આવી રહી છે.

વૈજ્ઞાનિકો દ્વારા એક ઉલ્કાપિંડના નામના ક્રિસ્ટલમાં પાણી હોવાના પુરાવા મળ્યા છે. કોઈ ઉલ્કાના નાના-નાના ટૂકડા ધરતી પર પડે છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા તેના પર અભ્યાસ કરવામાં આવે છે અને આ વખતે જાણવા મળ્યું કે ઓર્ડિનરી કોન્ડ્રાઈટ ક્લાસના આ ઉલ્કાપિંડમાં જે મીઠુ મળ્યું છે તે પણ ક્યાંક બીજેથી આવ્યું છે.

રિત્સુમીકાન યુનિવર્સિટીમાં વિઝીટીંગ રિસર્ચના પ્રોફેસર ડૉ.અકિરા સુચિયામા અને તેમના સાથી તે જાણવા માગતા હતા કે આ કયા પદાર્થમાં મળેલુ પાણી કેલ્શિયમ કાર્બોનેટના રુપમાં કાર્બનેશસ કોન્ડ્રાઈટ ક્લાસના ઉલ્કાપિંડમાં મળે છે કે નહી. આ પ્રકારના ઉલ્કાપિંડ એસ્ટેરોઈડથી આવે છે જે સૌર મંડળની શરૂઆતમાં બનેલા હોય છે. આ માટે 460 કરોડ વર્ષ જૂના ઉલ્કાપિંડ પર અભ્યાસ કરવામાં આવ્યો છે.

સંશોધનકારોએ એક કેલસાઇટ ક્રિસ્ટલ શોધ્યુ જેમાં ખૂબ ઓછી માત્રામાં પ્રવાહી અને 15% કાર્બન ડાયોક્સાઇડ શામેલ છે. આ પુષ્ટિ કરે છે કે પ્રાચીન કાર્બોનાસિયસ કોન્ટિરેલ્સમાં કેલ્સાઇટ સ્ફટિકોની અંદર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંને હોઈ શકે છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે અબજો વર્ષો પહેલા બનેલા એસ્ટરોઇડના ટુકડામાં પાણીના નિશાનને કારણે આ શોધ હજી વધુ મહત્વપૂર્ણ બની છે.

એક અનુમાન મુજબ, જ્યારે આ સ્ફટિકો બનાવવામાં આવ્યા હતા, ત્યારે એસ્ટરોઇડ્સની અંદર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સંગ્રહિત હૃતુ. આનો અર્થ એ કે એસ્ટરોઇડ એવી જગ્યાએ બન્યુ હશે જ્યાં તાપમાન એવું હોય કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથે હશે. સૂર્યમંડળમાં આવું સ્થાન ગુરુની નજીક હોઇ શકે છે અથવા આગળ પણ હોઈ શકે છે. ત્યાંથી, આ એસ્ટરોઇડ અંદરની તરફ આવ્યો અને પૃથ્વીમાંથી ટુકડાઓ તાજેતરમાં અન્ય થિયોરીયસમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે જળ અને કાર્બન ડાયોક્સાઇડ ધરાવતા એસ્ટરોઇડ્સ ગુરુની કક્ષાની આગળ હતા અને પછી સૂર્ય તરફ આવ્યા હશે.