Site icon Revoi.in

ગુજરાતમાં જન્મ અને મરણનો દાખલો હવે ઓનલાઈન મળશેઃ સરકારનો મહત્વનો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે લોકોને જન્મ અને મરણના પ્રમાણપત્રો માટે સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે. જન્મ અને મરણનો દાખલો ઘરે બેઠા-બેઠા મોબાઈલમાં જ મળી જશે. તેમજ કોવિડને પગલે જન્મ અને મરણની નોંધણીમાં લેટ ફી પણ નહીં વસુલવાના નિર્ણય સરકારે કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જન્મ અને મરણના દાખલા મેળવવાની પ્રક્રિયા ઝડપી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે ઓનલાઈન સિસ્ટમ મારફતે આ દાખલો મળશે. ટૂંક સમયમાં ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઇનલોડ કરી શકાય તે માટે જે તે વ્યક્તિના મોબાઇલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે. આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.

મહાનગરો અને ગરપાલિકામાં હાલ લોકોને પ્રમાણપત્ર મેળવવા લાઈનોમાં ઉભુ રહેવુ પડે છે જેના દ્વારા પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે. જેથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.  તેમજ 1 એપ્રિલ 2021થી 31મી જુલાઈ 2021 દરમિયાન બનેલા કે બનનારા જન્મ મરણના બનાવો કોરોના મહામારીને કારણે વિશિષ્ટિ સંજોગોમાં બની રહ્યા હોવાને કારણે 21 દિવસમાં નોંધાવી શકાયા ન હોય તો તેવા 22 દિવસથી વધુ પરંતુ 365 દિવસ સુધી વિલંબિત જન્મ કે મરણના બનાવોની નોંધણી માટે એફિડેવીટ કરવામાંથી પણ હાલ પુરતી મુક્તિ આપવામાં આવી છે અને આ અંગે લેટ ફી વસૂલવામાં નહી આવે.