Site icon Revoi.in

સાંતલપુરના પાંચ ગામોમાં નર્મદા કેનાલ ન બનાવાતા ખેડુતોને સિંચાઈનો લાભ મળતો નથી

Social Share

પાટણઃ  જિલ્લાના સાંતલપુર તાલુકાના પાંચ જેટલા ગામોમાં નર્મદાની કેનાલ બનાવવામાં નહીં આવતા ખેડૂતો નારાજ બન્યા છે. કારણ કે તાલુકાના પાંચ જેટલા ગામોમાં સિંચાઈના પાણીની કોઈ સુવિધા નથી. ખેડુતોને આકાશી ખેતી પર નિર્ભર રહેવાની ફરજ પડી રહી છે. તાલુકાના અન્ય ગામોને નર્મદા સિંચાઈનો લાભ આપવામાં આવ્યો છે તો પાંચ ગામોને લાભ કેમ આપવામાં આવતો નથી.તાલુકાના લીંમગામડા, ગોખાતર, ઉનડી, જોરાવર અને ગામડી સહિત પાંટચ ગામોમાં નર્મદાની કેનાલ બનાવવામાં આવતી નથી.

પાટણ જિલ્લાના સંતાલપુરના પાંચ ગામ લીંમગામડા, ગોખાતર, ઉનડી, જોરાવર અને ગામડી આ પાંચ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી નર્મદાની કેનાલ બનાવવામાં આવી નથી. જેને લઈ આ પાંચ ગામના ખેડૂતો માત્ર ચોમાસા આધારિત ખેતી કરી શકે છે. બાકીના સમયે પાણી ન અભાવે કોઈ પાક વાવણી કરી શકતા નથી. જેને લઈ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગામના લોકોએ અનેક વાર રજૂઆત કરી પણ કોઈ પગલાં લેવાતા નથી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો અમને પાણી નહીં મળે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે. લીમગામડા ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, અમારી જમીન ગોખતરની સીમમાં છે. 25 એકર જમીન છે, જે ગોખતર વિસ્તારમાં આવી છે. અહીંયા કોઈ દિવસ પાણી પહોંચતુ નથી. સરકાર ઝડપી પાણી મળે તો જીવન દોરી બચાવી શકીએ. અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વાવતેર બિલકુલ ઓછું થાય છે. વરસાદ થયો નથી એટલે વાવતેર થયું નથી. 12 મહિનામાં વરસાદ થાય તો પાક લઈ શકાય છે. નહીતો પાક સુકાય છે. પાણી છે નહીં કેનાલ છે નહીં જેથી પાક થતો નથી. કેનાલ નથી તો જઈએ ક્યાં. અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું કે, અમે ઉપર સુધી રજૂઆત કરી છે પણ કોઈ રજૂઆત સાંભળતું નથી. સત્વરે પાણી મળે તો અમારા બાળ બચ્ચા બચે એમ છે. પાણી નહીં મળે કમાણી કરવા હિજરત કરવી પડશે. સત્વરે સરકારને નમ્ર વિનંતી છે કે અમને પાણી પહોંચે એની વવસ્થા કરવી જોઈએ.