Site icon Revoi.in

ફિલ્મ ‘રોકી ઓર રાનીકી પ્રેમ કહાની’ –  અભિનેતા ઘર્મેન્દ્રના જીવન સાથે તાલમેળઃ  વીડિયો પોસ્ટ કરી પોતાના દિલની વાત શેર કરી

Social Share

અભિનેતા ઘર્મેન્દ્રએ વીડિયો કર્યો શરે

 

મુંબઈઃ- તાજેતરમાં જ કરણ જોહર દ્વારા નિર્દેશન પામનારી  અપકમિંગ ફિલ્મ  ‘રોકી ઓર રાનીકી પ્રેમ કહાનિ’ની વાત જાહેર કરવામાં આવી હતી, આ ફિલ્મમાં ધર્મેન્દ્ર પણ જોવા મળશે,ત્યારે ફિલ્મને લઈને હવે અભિનેતા ધર્મેન્દ્ર એ એક વીડિયો શેર કર્યો છે,જેમાં તેમણે પોતાના ફેન્સને એક ખાસ મેસેજ આપ્યો છે,આ વીડિયો વાયરલ થતા હવે તેમના ચાહકો લોંગ ટાઈમ બાદ તેમને ફિલ્મી પરદે જોવા માટે ઉત્સુક બન્યા છે.ઘર્મેન્દ્ર સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સ્ટાર છે,તે તેમના જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો તેમના ચાહકો સાથે શેર કરતા રહેતા હોય છે. ત્યારે ફરી તેમણે વીડિયો દ્રારા પોતાના  દિલની વાત શેર કરી છે.

https://www.instagram.com/aapkadharam/?utm_source=ig_embed&ig_rid=1b38ca17-1e80-4c8b-8809-7601d15e13b6

‘રોકી ઓર રાનીકી પ્રેમ કહાનિ’થી અભિનેતા ઘરિમેન્દ્દ લાંબા સમયબાદ ફિલ્મ કરી રહ્યા છે,ત્યારે તેઓ પોતે પણ આ વાતને લઈને ઉત્સપક જોવા મળ્યા છે, તેમણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી  વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ધર્મેન્દ્ર કહી રહ્યા છે, ‘હેલો મિત્રો. તમે કેમ છો? ભૂતકાળમાં, હું ટ્વિટર પર ખૂબ એક્ટિવ હતો. હું એક પછી એક ટ્વીટ કરતો રહ્યો. તમે પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. મારાથી જેટલું બન્યું તેટલું મેં બધાને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો

https://www.instagram.com/aapkadharam/?utm_source=ig_embed&ig_rid=cc147521-b39f-4dfc-934c-1647176cfe50

વિડિઓમાં તેઓ વધુમાં કહે છે કે આજે જે ઘોષણા કરવામાં આવી છે તેના માટે જાણકારી એ છે કે – અરજ, તમારી પ્રાર્થનાની સાંભળી લઈને ધર્મએ તમારા માટે ફરીથી કંઇક કરવાનું વિચાર્યું  કર્યું છે. કરણ મારા માટે કંઈક ખાસ લઈને આવ્યો છે. જીવન સાથે જોડાયેલ છે. હું પણ પ્રયત્ન કરીશ. મારા માટે પણ પ્રાર્થના કરો.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાનિ’ એક રોમેન્ટિક લવ સ્ટોરી આધારિત ફિલ્મ છે, જેનું દિગ્દર્શન કરણ જોહર કરશે. આ સાથે જ આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, આ ફિલ્મથી કરણ જોહર ઘણા ટાઈમ પછી નિર્દેશનની દિશામાં પાછો ફર્યો છે, તેના માટે તે ઘણો ઉત્સાહિત જાવા મળે છે.