Site icon Revoi.in

અમદાવાદના ઈસ્કોનબ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતમાં મૃતકો અને ઈજાગ્રસ્તોને આર્થિક સહાય કરાશે

Social Share

અમદાવાદઃ શહેરના ઈસ્કોનબ્રિજ ઉપર થયેલા માર્ગ અકસ્માતની ઘટનાની પોલીસ આગવીઢબે તપાસ કરી રહી છે. બીજી તરફ મૃતકોના પરિવારજનોએ જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની સરકારે જાહેરાત કરી હતી. દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ પીડિત પરિવાર સાથે વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી.

મુખ્યપ્રધાને ટ્વીટ કરીને અમદાવાદના ઇસ્કોન બ્રિજ અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.  તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી છે. તેમજ તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય આપશે.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં નવ લોકોના મૃત્યુ થયા છે. દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દિવંગતોના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી. મંત્રી ઋષિકેશ પટેલે દિવંગત આત્માઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, અકસ્માત સાથે સંકળાયેલ લોકો સામે સત્વરે  સખત કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે આ બનાવ અંગે ભુપેન્દ્ર પટેલે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખની આર્થિક સહાય અને ઇજા ગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી. રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આ. પાટીલે પણ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું.