Site icon Revoi.in

જાણો દર્શકોએ પસંદ કરેલી દેશભક્તિ ફિલ્મ ‘શેરશાહ’ માટે સિદ્ધાર્થ મલ્હોત્રા- કિયારા અડવાણી એ કેટલી ફિ લીધી

Social Share

બોલિવૂડ ફિલ્મ શેરશાહ કે જે વિકમ બત્રાના જીવન પર આઘારિક ફિલ્મ છે, જેને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, આ ફિલ્મમાં વિકમ બત્રાના પાત્રને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ખૂબ સારો ન્યા આપ્યો છે, જેને લઈને સિદ્ધાર્થની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે, તો અભિનેત્રી કિયારા અડવાણીએ પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીઘા છે.

આ ફિલ્મ એટલી સફળ રહી છે કે રિલીઝ થયા બાદના ઘણા દિવસો પછી પણ લોકો આ ફિલ્મ જોવાનું પસંદ કરી રહ્યા છે, દેશભક્તિનું જૂનુન ,વિક્રમ બત્રાની પ્રેમ કહાનિ અને અને દિલ માંગે મોરથી આ ફિલ્મને ખૂબ સારુ એવું પ્રોત્સાહન મળઅયું છે,શેરશાહ એ વિક્રમ બત્રાને આપેલું નામ હતું, જેના પર સમગ્ર ફિલ્મ ફિલ્માવામાં આવી હતી, આ ફિલ્મના સોંગ પણ ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

દેશભક્તિ અને દેશ માટે કંઈક કરી બતાડવાની ભાવના આ ફિલ્મમાં જીવંત થતી જોવા મળે છે, ત્યારે આપણા દરેકના મનમાં એક સવાલ ચોક્કસ થતો હશે, કે આટલી સફળ ફિલ્મ માટે અભિનેતા અને અભિનેત્રીએ કેટલા રુપિયા લીઘા હશે?

ત્યાકરે તમારા મનમાં સવાલ થાય એ વાત પણ સ્વભાવિક છે, તો ચાલો તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ કરોડોની ફી વસુલી છે.

વિક્રમ બત્રાનું પાત્ર ભજવનાર સિદ્ધાર્થે 7 કરોડ રુપિયા લીધા હતા તો ડિમ્પલ ચીમાના પાત્રને ન્યાય આપનાર અભિનેત્રી કિયારાએ 4 કરોડ રુપિયાની ફી લીઘી હતી.

સાઈડ કલાકારોએ પણ લાખોમાં ફી લીધી

અભિનેતા શિવ પંડિતની શેરશાહ ફિલ્મમાં સંજીવની ભૂમિકા નિભાવનારા જીમી જામવાલા એ  45 લાખ રૂપિયા ફિ લીધી છે.આ સાથએ જ અભિનેતા નિકેતન ધીરે પણ ફિલ્મમાં સારી ભૂમિકા નિભાવી છે. તેને 35 લાખ રૂપિયા લીધા છે.તો બીજી તરફ કેપ્ટન વિક્રમ બત્રાના મિત્ર નાયબ સુબેદાર બંસીસાલનું પાત્ર ભજવનાર અનિલ ચરણજીતે પોતાની ભૂમિકા માટે 25 લાખ રૂપિયા ફી વસુલી છે.વિક્રમના પિતાની ભુમિકામાં જોવા મળનારા પવન કલ્યાણે આ ફિલ્મ માટે 50 લાખ રુપિયા આપવામાં આવ્યા છે.