Site icon Revoi.in

રાજકોષીય ખાધ GDPના 5.1 ટકા રહેવાનો અંદાજ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે, આજે નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આમાં તેમણે રાજકોષીય ખાધ, જીડીપીના 5.1 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં તે 5.8 ટકા હતો. રાજકોષીય ખાધ એ નાણાકીય વર્ષમાં સરકારની કુલ આવક (આવક) અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત છે. ખાધનું કારણ એ છે કે, સરકાર તેની કમાણી કરતાં વધુ ખર્ચ કરે છે.

લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન સીતારમણે કહ્યું હતું કે, 2021-22માં તેમના બજેટ ભાષણમાં 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને 4.5 ટકાથી નીચે લાવવાની જાહેરાતને અનુરૂપ અમે રાજકોષીયના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. આ જ માર્ગ પર આગળ વધીને, 2024-25 માટે રાજકોષીય ખાધ જીડીપીના 5.1 ટકા રહેવાનો અંદાજ છે.

નાણામંત્રીએ કહ્યું હતું કે, સરકારની કુલ ઉધારી ઘટી છે. કુલ ખર્ચ (સુધારેલ) રૂ. 44.90 લાખ કરોડ રહ્યો. ઋણ સિવાયની કુલ આવક રૂ. 27.56 લાખ કરોડ હતી. આમાં નાણાકીય વર્ષ 23-24 માટે ટેક્સની આવક 23.24 લાખ કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 24-25 માટે ગ્રોસ માર્કેટ ઉધારી, રૂ. 14.13 લાખ કરોડ હોવાનો અંદાજ છે.

Exit mobile version