Site icon Revoi.in

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ,રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Social Share

16 ઓગસ્ટ,દિલ્હી:આજે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ અટલ સમાધિ સ્થળ પર પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી છે. 2018માં આ દિવસે તેમનું અવસાન થયું હતું.પૂર્વ પીએમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નરેન્દ્ર મોદી સરકાર શ્રદ્ધાંજલિ આપી રહી છે.સરકારના ઘણા મંત્રીઓ ટ્વિટર દ્વારા સ્વર્ગસ્થ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટમાં લખ્યું છે કે, “આદરણીય અટલજીએ તેમના જીવનની દરેક ક્ષણ માતા ભારતીનું ગૌરવ પુનઃસ્થાપિત કરવા માટે ખર્ચી નાખી.તેમણે ભારતીય રાજકારણમાં ગરીબ કલ્યાણ અને સુશાસનના નવા યુગની શરૂઆત કરી અને વિશ્વને ભારતની હિંમત અને શક્તિનો અહેસાસ કરાવ્યો.આજે તેમની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ પર હું તેમને યાદ કરીને નમન કરું છું. દેશને વિકાસ અને સુશાસનનો મંત્ર આપનાર અટલજીનું સમગ્ર જીવન તેમના વ્યક્તિત્વની ઊંડાઈ અને તેમની સર્જનાત્મકતાની ઊંચાઈનું પ્રતિબિંબ છે. ભારતની વિકાસયાત્રામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.