Site icon Revoi.in

સંખેડા નજીક કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત

Social Share

છોટાઉદેપુરઃ રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ગત મોડી રાત્રે સંખેડા નજીક એસટી બસ અને કાર વચ્ચે અતસ્માત સર્જાતા ચાર લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કારનો ગુંચ઼ડો વળી ગયો હતો. અને કારના પતરા કાપીને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ છોટા ઉદેપુરના સંખેડા પાસે મોડી રાત્રે અરેરાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મોડી રાત્રે થયેલા અકસ્માતમાં મધ્યપ્રદેશથી ગુજરાત આવતા ચાર લોકોના મોત નિપજ્યા હતા.  મોડી રાત્રે સંખેડાના છુછાપુરા ગામ પાસે લગભગ 2.30 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ પાસિંગની હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કાર આવી રહી હતી.

છુછાપુરા ખાતે કાર એસટી બસ સાથે અથડાઈ હતી. આ બસ કાલાવાડથી છોટાઉદેપુર રુટની હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, કારને ભારે નુકસાન થયુ હતું. રાતના અંધારામાં ટક્કર એટલી જોરદાર હતી કે, કારમાં સવાર ચારેય જણાને અંદર જ મોત મલ્યુ હતું. એટલુ જ નહિ, કારનો બૂકડો વળી ગયો હતો. જેથી મૃતદેહોને કારને તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ કામમા સ્થાનિકો પણ મદદે આગળ આવ્યા હતા. જોકે, બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. પરંતુ કારમાં સવાર પટેલ દિનેશભાઈ, ઈશ્વરભાઈ કરશનભાઈ ગુર્જર, રાજેશભાઈ દેવરામભાઈ ગુર્જર અને ગ્યારશીલાલના મોત નિપજ્યા હતા.

(PHOTO-FILE)