1. Home
  2. Tag "ST BUS"

અમદાવાદમાં ધોળકા રૂટની ST બસમાં લાગી આગ, પ્રવાસીઓ બહાર નીકળી જતાં બચાવ

અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં શનિવારે બપોરના ટાણે ધોળકા રૂટની એસટી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ભસ્મીભૂત બની ગઈ હતી. એસટી બસના એન્જિનમાં ધૂમાડો જોતા બસના ચાલકે સમયસૂચકતા દાખવીને બસને રોડ પર ઊભી રાખીને મુસાફરોને તાત્કાલિક ઉતરી જવા માટે બુમો પાડતા તમામ મુસાફરો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. બસમાં આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર […]

ગાંધીનગરઃ નવી 70 એસ.ટી.બસ માર્ગો ઉપર દોડતી થઈ, સચિવાલય આવતા લોકોને મળશે રાહત

ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે. એટલું જ નહીં, પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ સરળ પરિવહન સેવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મુકાયેલી આ નવી 70 એસ.ટી. બસોનું લોકાર્પણ […]

અંબાજી-દાંતા હાઈવે પર ST બસ પર પથ્થરમારો, પોલીસે ઘટના સ્થળેથી 3 બાઈક કબજે કરી

પાલનપુરઃ અંબાજી-દાંતા હાઈવે પર પાંછા નજીક અંબાજી-પાલનપુર રૂટની એસટી બસ જઈ રહી હતી ત્યારે ત્યારે બાઈક પર આવેલા કેટલાક શખ્સોએ એસટી બસ પર પથ્થરમારો કરતા બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. એકાએક પથ્થરમારાના બનાવથી મુસાફરો ભયભીત બની ગયા હતા. દરમિયાન બસના ચાલકે બસ ઊબી રાખીને ડેપો મેનેજર અને પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો […]

એસટી બસ એવરેજ ઓછી આપતી હશે તો ડ્રાઈવરને દંડ-સજા કરવાના નિર્ણય સામે રોષ

ગાંધીનગરઃ ગુજરાત એસટી નિગમ દ્વારા કરકસરના ભાગરૂપે એસટી બસમાં ડિઝલનો ઓછો વપરાશ થાય એટલે કે એસટી બસ વધુ એવરેજ આપે તેવી રીતે ચલાવવા બસ ડ્રાઈવરોને અવાર-નવાર સુચનાઓ આપવામાં આવતી હોય છે. જે રૂટ્સ પર એસટી બસ દ્વારા સૌથી વધુ એવરેજ મેળવે તેવા ડ્રાઈવરોને પ્રોત્સાહકરૂપે ઈનામો પણ આપવામાં આવતા હોય છે. જ્યારે જે બસ દ્વારા ઓછી […]

ગુજરાત : બસ સ્ટેશન ખાતે વિરામના સમયે પહોંચેલી ST બસને 10 મિનીટમાં નીટ એન્ડ ક્લીન કરી દેવાશે

અમદાવાદઃ રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન  વેગવંતુ બન્યુ છે ત્યારે રાજ્યના નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમ બની રહે તે આશય સાથે આજે ગાંધીનગર એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો રાજ્યવ્યાપી શુભારંભ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કરાવ્યો છે. તેની સાથે જ રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધા વધુ સુદ્રઢ કરવા માટે આગામી ૧૦ મહિના […]

ગુજરાતઃ એસટી નિગમને દિવાળી ફળી, તહેવારોમાં 48 કરોડથી વધારેની આવક

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના તહેવારોમાં લોકોને પોતાના ગામ જવા માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેથી દિવાળીના તહેવારોમાં એસટીની બસોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. દરમિયાન દિવાળીના તહેવારોમાં એસટી નિગમને કરોડોની આવક થઈ છે. એસટીને દિવાળીના તહેવારોમાં રૂ. 48.13 કરોડની આવક થઈ હોવાનું જાણવા મળે છે. ચાલુ […]

ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી […]

ગુજરાતઃ ST બસની ટિકિટ હવે UPI મારફતે પણ બુક કરાવી શકાશે, STને નવી 40 બસ મળી

અમદાવાદઃ રાજ્યમાં પરિવહન સેવામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા એસટી બસના રૂટમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં સમયાંતરે નવી બસો પણ એસટી વિભાગમાં જોડવામાં આવે છે. દરમિયાન આજે એસટી વિભાગને વધુ 40 નવી બસ મળી હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી એક વર્ષમાં […]

ગુજરાતમાં 7મી મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એસટીની 4500 બસો એક્સ્ટ્રા મુકાશે

અમદાવાદઃ ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા આગામી 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો નોંધાયેલા હોવાથી ગામેગામથી શહેરોના પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો ઉમટી પડશે. ઉમદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી […]

દક્ષિણ ગુજરાતના માર્ગો ઉપર જોવા મળશે નવી એસટી બસ, નવસારીમાં 125 નવી બસનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 125 નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી સાંકળી લઇ તેમજ કોઇપણ ગામ પરિવહન સેવાથી વંચિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code