Site icon Revoi.in

1 લી જુલાઈથી વેપારીઓએ રૂપિયા 50 લાખની ખરીદી પર 0.1 ટકા ટીડીએસ ભરવો પડશે

Social Share

અમદાવાદઃ નાણાકીય વર્ષ દરમિયાન જે વેપારીનું ટર્નઓવર 10 કરોડ અથવા તેનાથી વધુ હોય તેવા તમામ વૈપારીએ 50 લાખની ખરીદી કરવા પર 0.1 ટકા ટીડીએસ કાપીને ઇન્કમટેક્સ વિભાગમાં જમા કરાવવાનો રહેશે. આ નિયમનો અમલ આગામી એક જુલાઇથી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ 1લી જુલાઇ 2021થી ટીડીએસના નિયમોમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે. તેના માટે કલમ 194 યુમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી જે વેપારીનું ટર્નઓવર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 10 કરોડ અથવા તેના કરતાં વધુ હોય તે વેપારીએ 50 લાખથી વધુની ખરીદી કરતા પહેલા 0.1 ટકા ટીડીએસ કાપીને જમા કરાવવો પડશે. એટલે 50 લાખની ખરીદી પર 500 રૂપિયાનો ટીડીએસ વિભાગમાં ફરિજયાત જમા કરાવવો પડશે.

આ ઉપરાંત પાનકાર્ડ નહીં ધરાવનાર વેપારીનું બિલ બનાવતા પહેલા પાંચ ટકા ટીડીએસ કાપવાનો નિયમ લાગુ કરવામાં આવશે. જોકે, આ નિયમનો અમલ આગામી એક જુલાઇથી લાગુ કરવામાં આવે તે પહેલા બાકી રહેલા તમામ બિલની ચુકવણી કરી દેવામાં આવે તો તે પેટે ટીડીએસ કાપવાનો રહેશે નહીં. 10 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર પાસે 0.1 ટકા ટીસીએસ (ટેક્સ કલેક્શન સોર્સ) કાપવાનો નિયમ ઓકટોબર 2020 થી લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે એક જુલાઇથી ટીડીએસ કાપવાનો નિયમ લાગુ કરવામાં આવશે. જોકે વેપારી દ્વારા ટીડીએસ કાપવામાં આવ્યો હોય તો પછી ટીસીએસ કાપવાનો રહેશે નહીં.

10 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર વેપારી દ્વારા ટીડીએસ કાપીને ઇન્કમટેક્સમાં જમા કરાવવામાં નહીં આવે તો નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. જેથી વેપારીએ વિભાગમાં જમા કરાવેલા એટલે કે રિટર્નમાં દર્શાવેલા 30 ટકા બિલને માન્યતા આપવામાં આવશે નહીં. તેના લીધે તેનો ટેક્સ વસૂલ કરવામાં આવશે