Site icon Revoi.in

એનઆઇએમસીજેમાં ગણેશોત્સવ સાઇબર સિક્યુરિટીની થીમ પર ઉજવાશે

Social Share

અમદાવાદ: અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલીઝમ(NIMCJ) દ્વારા દર વર્ષે ગણેશોત્સવ યોજાય છે.આ વર્ષની ગણેશોત્સવની થીમ સાઈબર સિક્યોરિટી અને સાઈબર ક્રાઇમ અવેરનેસની રાખવામાં આવી છે. આવતીકાલે ૩૧મી તારીખે કેમ્પસમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ રક્તદાન કેમ્પનું પણ મધરહુડ ફાઉન્ડેશનના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે.

ગણેશોત્સવ વિશે વધુ વિગતો આપતા સંસ્થાના નિયામક ડૉ શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે સંસ્થાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર ગણેશોત્સવ થાય છે. પાચ દિવસ ચાલનારા આ ગણેશોત્સવમાં પ્રથમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપભાઈ જૈન, સંસ્થાની પૂર્વ વિદ્યાર્થિની અને સુપ્રસિદ્ધ ન્યૂઝ એંકર દેવાંશી જોષી, મધરહૂડ ફાઉન્ડેશનના ડૉ ટ્વિંકલ પટેલ,વિદ્યાર્થીઓ, સ્ટાફગણ ઉપસ્થિત રહેશે.

સમગ્ર પાચ દિવસના કાર્યક્રમોમાં શહેરના જાહેરજીવનના અગ્રણીઓ, સાઈબર સિક્યુરિટીના નિષ્ણાતો, શિક્ષણજગતના અગ્રણીઓ, ગણેશોત્સવમાં દર્શનાર્થે પધારશે.ગણેશોત્સવની થીમને અનુરૂપ સુંદર સુશોભન સંસ્થાના એડમીનિસ્ટ્રેટર શ્રીમતી ઇલાબેન ગોહેલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ દ્વારા કરવામાં આવ્યું છે. ગણેશજીને આવકારવા અને જ્ઞાનોત્સવમાં સહભાગી થવા સમગ્ર વિદ્યાર્થીગણ ઉત્સાહિત છે.