Site icon Revoi.in

અંકલેશ્વર જીઆઈડીસીની એક કંપનીમાં ગેસ ગળતર, આસપાસના વિસ્તારના લોકોને અસર

Social Share

અમદાવાદઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના ફરીવાર બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જીઆઈસીડીની એક કંપનીમાં ગેસ ગળતરને પગલે આસપાસના લોકોને તેની અસર થઈ હતી. કંપનીના પ્લાન્ટમાં વાલ્વમાં ખામી સર્જાતા ઓલિયમ ગેસ લીકેજ થયાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જીઆઈડીસીની એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો સ્થલ પર દોડી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે ગેસ ગળતરની સ્થિતિ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર જીઆઈડીસીમાં અગાઉ પણ કેટલીક વાર ગેસ ગળતરની ઘટના સામે આવી છે, દરમિયાન ફરી એકવાર ગેસ ગળતરની ઘટના બનતા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ આવી ઘટના ફરી ના બને તે માટે જરૂરી પગલા લેવા માટે માંગણી કરી હતી.