Site icon Revoi.in

મહાકાલના ભક્તો માટે સારા સમાચાર,અઠવાડિયામાં 4 દિવસ દરેકને મળશે ગર્ભગૃહમાં એન્ટ્રી

Social Share

ભોપાલ:મધ્યપ્રદેશના ઉજ્જૈનથી બાબા મહાકાલના ભક્તો માટે સારા સમાચાર છે.આ અંતર્ગત હવે ભક્તો અઠવાડિયામાં 3 દિવસ સિવાય મંગળવારથી શુક્રવાર સુધી ગર્ભગૃહમાં જઈ શકશે અને બાબાના આશીર્વાદ વિના મૂલ્યે મેળવી શકશે. છેલ્લા અઢી મહિનાથી નિ:શુલ્ક ગર્ભગૃહની વ્યવસ્થા પર રોક હતી.મંદિર સમિતિના આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આરકે તિવારીએ જણાવ્યું હતું કે,મહાકાલેશ્વર પ્રબંધન સમિતિએ નિર્ણય લીધો છે કે,શનિવાર, રવિવાર અને સોમવાર સિવાય અઠવાડિયાના 4 દિવસે ઓછી ભીડ હોય ત્યારે ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

શ્રી મહાકાલેશ્વર પ્રબંધન સમિતિના આ નિર્ણય અંતર્ગત પ્રથમ દિવસે મંગળવારે લગભગ 20 હજાર ભક્તો ગર્ભગૃહમાં પહોંચ્યા હતા.મંગળવારે ત્રણ કલાક સુધી ભક્તોએ દર્શન કર્યા હતા.આ દરમિયાન લગભગ 20 હજાર ભક્તોએ બાબા મહાકાલને સ્પર્શ કર્યો હતો.સામાન્ય ભક્તો પણ લાંબા સમય બાદ બાબા મહાકાલનો સ્પર્શ કરીને ધન્ય બન્યા હતા.મંદિર પરિસર બાબા મહાકાલની સ્તુતિથી ગુંજી ઉઠ્યું હતું.હવે ધસારાના દિવસો સિવાય આ વ્યવસ્થા શરૂ રહેશે.

શ્રી મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ ભીડ જોવા મળે છે.આવી સ્થિતિમાં, મંદિર સમિતિ તરફથી 1500 રૂપિયાની રસીદ પર અત્યાર સુધી બે ભક્તોને સવારે 6 થી 1 અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી ડ્રેસ કોડ સાથે પ્રવેશ આપવામાં આવતો હતો. બીજી તરફ સામાન્ય ભક્તોને 50 ફૂટ દૂરથી દર્શન કરવા પડ્યા હતા

મહાકાલેશ્વર મંદિરમાં 14મી જુલાઈથી શ્રાવણ માસની શરૂઆત થઈ હોવાથી ભીડ વધવાના કારણે સામાન્ય ભક્તોના ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.મંદિર પ્રશાસને 30 ઓગસ્ટથી જ્યારે ભીડ ઓછી હતી ત્યારે સામાન્ય ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપવાની વ્યવસ્થા શરૂ કરી હતી.આ અંતર્ગત સામાન્ય ભક્તોએ લગભગ 15 દિવસ સુધી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો.