Site icon Revoi.in

ઓડિશા ટ્રેન અકસ્માત બાદ ‘કવચ’ને લઈને ઉઠ્યા સવાલ, 2024 સુધી તમામ ટ્રેનોમાં ‘કવચ’ સ્થાપિત કરાશે

Social Share

ઓડિશાના બાલાસોરમાં શુર્કવારની સાંજે ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં 288 લોકોના મોત થયા છે તો 100ૃ જેટલા લોકો ઘાયલ થયા છે આ આકસ્માત બાદ રેલ્વેની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર પણ સતર્ક બની છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીઓ સાથે ત્રણ માર્ગીય અકસ્માત ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા બજાર સ્ટેશન પર ત્રણ અલગ-અલગ ટ્રેક પર થયો હતો,બંને ટ્રેનોના 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને તેને ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ આ સુરક્ષા કવચ પર સવાલ ઊભા થયા.

ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ (TCAS) અથવા કવચ, જે ગયા વર્ષે ટ્રાયલ માટે શરૂ કરવામાં આવી હતી, તે આવતા વર્ષે ટ્રેનોમાં સ્થાપિત થવાની સંભાવના સેવાઈ રહી છે, રેલ્વે મંત્રાલયના પ્રવક્તા અમિતાભ શર્માએ વિતેલા દિવસે માહિતી આપી હતી.

આ સહીત વધુમાં, રેલ્વે પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવી છે અને ઘણી રેલ્વે લાઈનોમાં ઉપયોગ માટે તેને મંજૂરી પણ આપવામાં આવી છે.તેમણે કહ્યું કે ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ (TCAS) અથવા કવચનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટેક્નોલોજી ટ્રેનોને જ્યારે તે જ ટ્રેક પર આવે છે ત્યારે તે આપોઆપ બ્રેક લગાવવામાં સક્ષમ બનાવે છે. આ ટેક્નોલોજી 2024 સુધીમાં ટ્રેનોમાં લગાવવામાં આવે તેવી શક્યતા છે.

જાણો શું છે આ કવચ