Site icon Revoi.in

હજયાત્રાને સરળ બનાવા સરકારનો નિર્ણય, હવે SBI ની મદદથી હજયાત્રીઓ વિદેશી મુદ્દા પ્રાપ્ત કરી શકશે

Social Share

દિલ્હીઃ- સામાન્ય રીતે જ્યારે આપણે ભારત સિવાયના અન્ય દેશમાં જવું હોય ત્યારે પહેલા રુપિયાને જે તે દેશની કરન્સીમાં કન્વર્ટ કરીને ત્યાની કરન્સી મેળવવાની હોય છે,ખાસ કરીને હવે જ્યારે હજયાત્રાને 2 મહિના જેટલો જ સમય રહ્યો છે ત્યારે હજયાત્રીઓ માટે રુપિયાના બદલે રિયાલ સરળતાથઈ મેળવી શકાય તે હેતુસર સરકારે મહત્વનું પગલુ ભર્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત સરકારે હજ યાત્રા માટે મહિલાઓ સાથે  રુપુષનું જવાનું એટલે કે ‘મેહરમ’ની ફરજ દૂર કરી છે. તે જ સમયે, આ વર્ષે મોદી સરકારે હજ યાત્રીઓ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લઘુમતી બાબતોના મંત્રાલયે હજ યાત્રાને વધુ આરામદાયક બનાવવા માટે ‘કેશલેસ હજ’ની પહેલ કરી છે. આ માટે લઘુમતી બાબતોના મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મદદ લીધી છે અને હજ યાત્રીઓ માટે વિદેશી ચલણ કાર્ડ જારી કરવાનો નિર્ણય લીધો છે.

હજ યાત્રીઓની વિદેશી હૂંડિયામણની જરૂરિયાતોને પણ પૂરી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.હજ યાત્રાએ જતા મુસ્લિમોની યાત્રાને સરળ અને સુવિધાજનક બનાવવા માટે, ભારત સરકારે વિદેશી ચલણ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે.

આ સહીત SBI હજ યાત્રીઓને માર્ગદર્શન આપવા માટે યોગ્ય સ્તરના સમર્પિત નોડલ અધિકારીઓ સાથે સ્ટોલ પણ સ્થાપશે જેથી તેઓને વિદેશી ચલણ મેળવવામાં કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

આ પહેલા હજ કમિટી ઓફ ઈન્ડિયા હજ યાત્રીઓને ભારતીય ચલણના બદલામાં 2,100 સાઉદી રિયાલ આપતી હતી, પરંતુ આ વખતે સરકારે આ સુવિધા આપી છે કે હજ યાત્રીઓ પોતાની વિદેશી ચલણની વ્યવસ્થા કરી શકે છે. અથવા તમે તમારી જરૂરિયાત મુજબ વિદેશી ચલણ લઈ શકો છો.

એટલે કે  આ માટે સરકારે હજ યાત્રીઓને પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ પ્રદાન કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત SBI પ્રવાસીઓને વિદેશી ચલણની સાથે સાથે ફરજિયાત વીમો આપવાની સુવિધા પણ આપશે. તેમને ‘કેશલેસ હજ’ શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે વિદેશી ચલણ કાર્ડ આપવામાં આવશે.