Site icon Revoi.in

કેરળમાં વધતા કોરોનાના કેસોને લઈને ગોવા સરકાર એલર્ટઃ કેરળથી આવતા લોકોએ થવું પડશે 5 દિવસ ક્વોરોન્ટાઈન

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો ઘટવા જોવા મળી રહ્યા છે. જે કેસ પહેલા ચાલીસ હજારથી ઉપર આવી રહ્યા હતા હવે તેનો ગ્રાફ 30 હજારથી નીચે આવવા લાગ્યો છે. જો કે, આશ્ચર્યજનક બાબત એ કેરળ રાજ્ય આ સ્થિતિમાં હજી પણ છે, કોરોનાના કેસ વધવાને મામલે કેરળ મોખરે રહ્યું છે,દેશભરમાં કોરોનાને લઈને થોડી શઆંત્ છે જો કે  કેરળમાં સ્થિતિ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, ગોવા સરકારે કેરળથી રાજ્યની મુસાફરી કરનારા વ્યક્તિઓ માટે પાંચ દિવસની ક્વોરન્ટાઇનમાં રહેવું ફરજિયાત બનાવ્યું છે.

આ કેરળની સ્થિતિને જોતા ગોવા સરકારે રાજ્ય કક્ષાના કોરોનાના “કર્ફ્યુ” ને 20 સપ્ટેમ્બર સુધી લંબાવી દીઘું છે. સીઆરપીસીની કલમ 144 હેઠળ બે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશમાં, “કેરળથી આવતા તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ પાંચ દિવસની સંસ્થાકીય ક્વોરોન્ટાઈનનો સમય પૂર્ણ કરવો પડશે.”

કેરળના અન્ય પ્રવાસીઓને આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત રહેશે અને ઓર્ડર મુજબ પાંચ દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં પણ રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે.આપવામાં આવેલા આદેશ અનુસાર, “શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો/આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓ માટે ક્વોરોન્ટાઈનની વ્યવસ્થા કરવામાં આવશે. કર્મચારીઓ માટે, આ સંબંધિત કચેરીઓ, કંપનીઓ,કંપનીઓ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવશે.

ટક્વોરોન્ટાઈન પુરા થયાના પાંચ દિવસના અંતે તે લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. જો કે, આ હુકમ બંધારણીય કાર્યકર્તાઓ, આરોગ્ય વ્યવસાયિકો અને તેમના જીવનસાથીઓ, બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો, પરિવારમાં કોઈની મૃત્યુ જેવી ગંભીર કટોકટી અને ટ્રેન અથવા રોડ દ્વારા રાજ્યમાંથી પસાર થતા લોકો માટે લાગુ કરવામાં આવ્યો નથી.