Site icon Revoi.in

વજન ઘટાડવાથી લઇને ડાયાબીટીસ જેવી બિમારીઓ માટે લીલા વટાણા છે ફાયદાકારક,વિટામિનનોથી ભરપૂર

Social Share

શિયાળામાં લીલું શાકભાજી મોટા પ્રમાણમાં થતું હોય છે. અને એમાના એક છે લીલા વટાણા..લીલા વટાણાનો ઉપયોગ તમામ પ્રકારના ભારતીય જમણમાં શાક, ભાત અને સેન્ડવિચ વગેરેમાં થાય છે.કોક જ હશે જેને વટાણા નહીં ભાવતા હોય, વટાણમાં વિટામીન-A, વિટામીન-B6, વિટામીન – K અને વિટામીન – C ભરપૂર માત્રામાં છે.અને તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.તો ચાલો જાણીએ લીલા વટાણા ખાવાના ફાયદાઓ વિશે

લીલા વટાણામા સારા પ્રમાણમા ફાઈબર હોય છે જેના કારણે તે પાચનતંત્રને સારુ રાખે છે. લીલા વટાણા ખાવાથી શરીરમા સારા બેક્ટેરિયા વધે છે. જેના કારણે આંતરડા યોગ્ય રીતે કામ કરે છે. તે ખાવાથી પેટ સારી રીતે સાફ થાય છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.આ ઉપરાંત વજન ઘટાડવા માટે લીલા વટાણા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.લીલા વટાણા ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી એટલા માટે તે વજનને નિયંત્રિત રાખવામા મદદ રુપ થાય છે.

લીલા વટાણા ખાવાથી આપણું પાચનતંત્ર સારું રહે છે.શરીરમાં સારા બેક્ટેરિયા વધે છે, જેના કારણે આંતરડા યોગ્ય રીતે કામ કરે છે. અને પેટ સારી રીતે સાફ થાય છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગરને નિયંત્રિત રાખવું હોય તો લીલા વટાણા ખાવા જોઈએ. લીલા વટાણામાં જોવા મળતા પ્રોટીન અને ફાઈબર પણ બ્લડ સુગરને વધતા અટકાવે છે. લીલા વટાણાામા વિટામિન-એ, બી, સી અને કે પણ મળે છે, જે ડાયાબિટીસનું જોખમમા ઘટાડો કરે છે.

વટાણામા રહેલા વિટામિન-K હાડકાંની મજબૂતી માટે ખૂબ જ જરૂરી છે.વિટામિન-કે શરીરને ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાથી બચાવે છે. એક કપ બાફેલા લીલા વટાણામાં વિટામિન K-1નું RDA હોય છે જેના કારણે તે હાડકાંની મજબૂતી જાળવવા માટે જાણીતું છે.લીલા વટાણામાં જોવા મળતા વિટામિન-સી શરીરમાં કોલેજન બનાવે છે જેના કારણે તેનાથી ત્વચા ડાઘ રહિત અને ચમકદાર રહે છે અને જો ડાઘા હોય તો તેને દૂર કરવામા મદદ રુપ થઈ શકે છે.