Site icon Revoi.in

કોરોનાના સંક્રમણને લઈને ગુજરાત હાઈકોર્ટનું સેનેટાઈઝેશન કરાશે – આજથી ત્રણ દિવસ માટે હાઈકોર્ટ બંધ

Social Share

અમદાવાદ – રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તકેદારીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેને પગલે ગુજરાત હાઈકોર્ટને સેનેટાઈઝેશન કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે,ઉલ્લખેનીય છે કે વિતેલા અઠવાડિયે હાઇકોર્ટના સીટિંગ જજ જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોનાના સંક્રમણથી મોત નીપજ્યું હતુ ત્યારે હવે આ કોર્ટને સેનિટાઈઝ કરવા માટે 3 દિવસ કોર્ટ બંધ રાખવામાં આવી છે.

સમગ્ર હાઇકોર્ટ સંકુલને સેનિટાઇઝેશન માટે 12મી ડિસેમ્બરથી લઈને 14મી ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોર્ટની તમામ જ્યુડિશીયલ અને વહીવટી કાર્ય બંધ રખાશે.આ સાથે જ સેનેટાઈઝેશન કર્યા બાદ  15મીતારીખથી કોર્ટ તેના સમય પ્રમાણે કાર્રત બનશે.

ચીફ જસ્ટિસએ રજુ કરેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કે રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઈને 12થી 14મી ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટ સમગ્ર સંકુલ, પોસ્ટ ઓફિસ, બેન્ક, જ્યુડિશીયલ એકેડમી સહિતની જગ્યાઓ સેનિટાઇઝ કરવામાં આવશે.

આ સાથે જ 15 તારીખ સુધી હાઇકોર્ટનું ફિઝીકલ ફાઇલિંગ સેન્ટર પણ બંધ રાખવામાં આવશે, આ સાથે જ  ઇ-ફાઇલિંગ પોર્ટલ આ સમગ્ર સમયગાળા દરમિયાન કાર્યરત રહેશે.તો બીજી તરફ નવી ફાઇલ થયેલી અરજીઓ પર આવનારી 15 તારીખથી રાબેતા પ્રમાણે કાર્ય હાથ ધરાશે.

સાહિન-