Site icon Revoi.in

અમદાવાદથી દોડતી અડધો ડઝન ટ્રેનો વડોદરાને બદલે છાયાપુરી થઈને જશે

Social Share

વડોદરાઃ  પશ્ચિમ રેલવેની વાયા અમદાવાદ દોડતી 6 જોડી ટ્રેનો હવે છાયાપુરી ઉભી રહેશે. એટલે કે આ ટ્રેનો વડોદરા નહીં જાય અને છાયાપુરી થઈ અમદાવાદ તરફ આવશે અને જશે. આ ટ્રેનો વડોદરા નહીં જાય તેનાથી વડોદરા સ્ટેશન પર એન્જિન રિવર્સલ જોડવાની સમસ્યાથી છુટકારો મળશે અને તેના કારણે સમયની પણ બચત થશે.

પશ્વિમ રેવલેના સૂત્રોએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેની વાયા અમદાવાદ દોડતી 6 જોડી ટ્રેનો હવે છાયાપુરી ઉભી રહેશે. એટલે કે આ ટ્રેનો વડોદરા નહીં જાય અને છાયાપુરી થઈ અમદાવાદ તરફ આવશે અને જશે આ ફેરફારના કારણે ટ્રેનોના કેટલાક સ્ટેશનોના આગમન પ્રસ્થાનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. વડોદરા રેલવે સ્ટેશને એન્જિન જોડવા માટે અંદાજે 20થી 30 મિનિટ સુધી ટ્રેન રોકી રાખવી પડે છે.વડોદરા સ્ટેશન પર ટ્રાફિક ઘટાડવા માટે થોડા વર્ષો પહેલાં છાયાપુરી રેલવે સ્ટેશનને ડેવલપ કરવામાં આવ્યું છે. જે 6 ટ્રેનો છાયાપુરી ઊભી રહેશે જેમાં ભૂજ-શાલીમાર સાપ્તાહિક, ઓખા-ગુવાહાટી સાપ્તાહિક, ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ, ભાવનગર-આસનસોલ સાપ્તાહિક, તથા ઓખા-વારાણસી સાપ્તાહિક અને ગાંધીધામ-હાવડા સાપ્તાહિકનો સમાવેશ થાય છે. આ ટ્રેનો વડોદરા નહીં જાય તેનાથી વડોદરા સ્ટેશન પર એન્જિન રિવર્સલ જોડવાની સમસ્યાથી છુટકારો મળશે અને તેના કારણે સમયની પણ બચત થશે.