- આજે હનુમાન જયંતિની થશે કેટલાક મંદિરોમાં પૂજા-પ્રાર્થના
- મંગળવારના દિવસે આવ્યો હનુમાન જયંતિનો અવસર
- શ્રી રામ ભક્ત હનુમાનની આ રીતે કરો પ્રાર્થના
જ્યોતિષો તથા ધાર્મિક સંત મહાત્માઓ દ્વારા હંમેશા કહેવામાં આવે છે કે શ્રી રામની ભક્તિ કરો તો હનુમાનજી ત્યાં અવશ્ય પધારે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી બજરંગબલી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
પણ આ વખતે સૌથી ખાસ વાત એ છે કે મંગળવારના દિવસે હનુમાન જયંતિનો અવસર આવ્યો છે. તેના કારણે આ અવસર વધારે રૂડો બની ગયો છે. મંગળવાર અને શનિવાર હનુમાનજીના વાર ગણાય છે.
એવી માન્યતા છે કે, હનુમાનજી બજરંગબલીના નામે પણ જાણીતા છે. તેમની પૂજા-અર્ચના કરવાથી ભક્તોના સંકટ દૂર થાય છે. એ જ કારણસર તેમને સંકટ મોચક દેવ પણ કહેવામાં આવે છે. હનુમાનજીની આરાધનાથી ભક્તોને તમામ પ્રકારના રોગ-પીડા અને ભયમાંથી મુક્તિ મળે છે. સાથે જ હનુમાનજીની પૂજા કરવાથી આપણાં આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. એટલું જ નહીં એમ પણ કહેવાય છે કે, હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી કે એમનું સ્મરણ કરવાથી તમામ પ્રકારના ગ્રહ દોષનું પણ નિવારણ થાય છે. તેથી ભક્તો હનુમાન જયંતિના દિવસે ઉપવાસ કરીને ભગવાનની ઉપાસના કરે છે.