Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા,રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને મળ્યા

Social Share

મુંબઈ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે શનિવારે સાંજે મુંબઈ પહોંચ્યા હતા. મહાનગર પહોંચ્યા પછી તરત જ શાહ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને મળ્યા અને તેમની માતાના તાજેતરના અવસાન પર શોક વ્યક્ત કર્યો.

બાદમાં શાહે સરકારી ગેસ્ટ હાઉસમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના જૂથના નેતાઓ સાથે મુલાકાત કરી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું, “અમારા નેતા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મુંબઈ આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી એકનાથ શિંદે, મંત્રીમંડળના સાથીદારો, સાંસદો અને ધારાસભ્યોએ પણ શાહનું સ્વાગત કર્યું.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી વર્ષની લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચારના ભાગરૂપે 16 એપ્રિલે દક્ષિણ ગોવાના પોંડા શહેરમાં એક જાહેર સભાને સંબોધશે. બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ સોમવારે આ માહિતી આપી હતી.

મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ આ કોર કમિટીના સભ્ય છે. તેમણે પણ બેઠકમાં હાજરી આપી હતી. ભાજપના નેતાએ કહ્યું કે શાસક પક્ષ મે મહિનામાં સાંખાલિમ (ઉત્તર ગોવા) અને પોંડા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી માટે પણ તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે નગર પરિષદની ચૂંટણી પાર્ટીની ટિકિટ પર લડવામાં આવશે નહીં, પરંતુ ભાજપ ઉમેદવારોને સમર્થન આપશે.

 

Exit mobile version