Site icon Revoi.in

ત્રિપુરામાં ભાજપની ‘જન વિશ્વાસ યાત્રા’ને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી – 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા

Social Share
આજરોજ ગુરુવારે ત્રિપુરાના ધર્મનગરમાં ભાજપની રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે આ યાત્રાને ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી  દેખાડીને આરંભ કરાવ્યો છે. આ દરમિયાન તેમણે વિશાળ જનસભાને પણ સંબોધી હતી.
ત્રિપુરામાં આ વર્ષે માર્ચમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. રથયાત્રા 8 દિવસ બાદ 12 જાન્યુઆરીએ સમાપ્ત થવાની છે.ઉલ્લેખનીય છે કે આ યાત્રાને ભાજપે  ‘જન વિશ્વાસ યાત્રા’ નામ આપ્યું છે,  ભાજપની આ રથયાત્રા 12 જાન્યુઆરીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં સમાપ્ત થશે.