1. Home
  2. Tag "BJP"

ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે પ્રદેશ સંકલન સમિતિની રચના

ગાંધીનગર, 13 માર્ચ, 2026 – local body elections રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી છે ત્યારે બે મુખ્ય પક્ષોમાં એ માટેની હિલચાલ ઝડપી બની છે. એ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીએ આજે પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની રચનાની જાહેરાત કરી છે. કોંગ્રેસે ગયા અઠવાડિયે સંકલન સમિતિની રચના કરી હતી. ભાજપ દ્વારા જારી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, પક્ષે […]

લોકસભા અધ્યક્ષ વિરુદ્ધના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવનો ધ્વનિમતથી રકાસ

ભાજપની સરખામણીમાં કોંગ્રેસને લોકસભામાં બોલવા માટે બે ગણો વધુ સમય આપવામાં આવ્યોઃ અમિત શાહ નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Lok Sabha લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો આજે રકાસ થયો હતો. બે દિવસ સુધી 13 કલાક કરતાં વધુ સમય ચાલેલી ચર્ચાનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જવાબ […]

રાજ્યસભા ચૂંટણી 2026: નીતિશ કુમારે ઉમેદવારી ફોર્મ ભર્યું

પટના, 5 માર્ચ, 2026: બિહારમાં 10 વાર મુખ્યમંત્રી પદના શપથ લેનાર નીતિશ કુમારએ આજે ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના સિનિયર નેતાઓ પસ્થિત રહ્યાં હતા. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ 27 ફેબ્રુઆરીમાં નીતિશ કુમારએ 10મી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. દરમિયાન તેમણે રાજ્યસભામાં […]

શું બિહારમાં થશે રાજકીય ઊલ્ટાપુલ્ટા? ભાજપના મુખ્યમંત્રી બનશે, તો નીતિશકુમાર ક્યાં જશે? જાણો

પટણા/નવી દિલ્હી, 4 માર્ચ, 2026 – Nitish Kumar બિહારથી લઈને નવી દિલ્હી સુધી આજે ચોથી માર્ચે રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજકીય વર્તુળોમાં જે ચર્ચાએ જોર પકડ્યું છે તેણે ભલભલા રાજકીય પંડિતોને માથું ખંજવાળતા કરી દીધા છે. આજે એકાએક એવી ચર્ચા શરૂ થઈ છે કે, શું બિહારના સીએમ નીતિશ કુમાર રાજ્યસભામાં જઈ રહ્યા છે? શું […]

સીએમ ઓમર અબ્દુલ્લાએ ભાજપના ધારાસભ્યો વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ દિલગીરી વ્યક્ત કરી

જમ્મુ, 11 ફેબ્રુઆરી 2026: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભાની કાર્યવાહી દરમિયાન પોતાની ટિપ્પણી બદલ દિલગીરી વ્યક્ત કરી. ગૃહમાં ભાજપના સભ્યોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર તેમની વિરુદ્ધ કરવામાં આવેલી બિનસંસદીય ટિપ્પણી બદલ માફી માંગવા દબાણ કરવા માટે ધરણા કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ આ મુદ્દા પર વોકઆઉટ પણ કર્યું. જ્યારે ભાજપના સભ્યો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, […]

BMC મેયરપદનું કોકડું છેવટે ઉકેલાયું, ભાજપના રીતુ તાવડેની પસંદગી

મુંબઈ, 7 ફેબ્રુઆરી, 2026: Ritu Tawde બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના નવા મેયરપદ માટે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા અને સસ્પેન્સનો આખરે આજે અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મેયરપદ માટે મહિલા કોર્પોરેટર રિતુ તાવડેના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. મુંબઈ મહાનગરપાલિકાના ઈતિહાસમાં છેલ્લા 40 વર્ષમાં આ પ્રથમ પ્રસંગ હશે જ્યારે ભાજપનો કોઈ ઉમેદવાર મેયરની […]

તેલંગાણામાં મંદિરો પરના હુમલા મામલે નીતિન નબીનની કોંગ્રેસને ચેતવણી

હૈદરાબાદ, 5 ફેબ્રુઆરી 2026: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તેલંગાણામાં વધતી જતી સાંપ્રદાયિક તંગદિલી અને મંદિરો પર થઈ રહેલા કથિત હુમલાઓને મુદ્દે કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી છે. એક જનસભાને સંબોધતા તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અનેક મંદિરોને નિશાન બનાવી તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં […]

સંત રવિદાસ જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં નીકળી શોભાયાત્રાઃ ભાજપ, વિહિંપના અગ્રણીઓ જોડાયા

અમદાવાદ, 2 ફેબ્રુઆરી, 2026 – Sant Ravidas’ birth anniversary સંત શિરોમણી ગુરુ રવિદાસજીની 649મી જન્મજયંતીની ઊજવણી માઘ પૂર્ણિમાના દિવસે, તા. 1 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ સહિત દેશભરમાં કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે શહેરમાં મોટર બાઈક, કાર શોભાયાત્રા રેલી યોજાઈ હતી જેનું પ્રસ્થાન ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, આશ્રમ રોડથી કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા રેલીના પ્રારંભ પહેલા બે […]

ભારતના 99.9 ટકા જિલ્લાઓમાં હવે 5G સેવાઓ ઉપલબ્ધ

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: દેશના 99.9 ટકા જિલ્લાઓમાં હવે 5G સેવાઓ ઉપલબ્ધ છે, અને ટેલિડેન્સિટી 86.76 ટકા સુધી પહોંચી છે. ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં આ માહિતી આપવામાં આવી હતી. આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે છેલ્લા દાયકામાં ભારતના ટેલિકોમ ક્ષેત્રનો ઝડપથી વિકાસ થયો છે, જેના કારણે ગ્રામીણ-શહેરી ઍક્સેસ વિભાજન સંકુચિત […]

VB-G RAM G જનજાગરણ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન

કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભાજપના અપેક્ષિત હોદેદારો રહેશે ઉપસ્થિતિ ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2026 –  VB-G RAM G Janajagran Abhiyan મનરેગા યોજનાના નામનો વિવાદ વકરી રહ્યો છે અને એક તરફ કોંગ્રેસે મનરેગા બચાવો અભિયાન શરૂ કર્યું છે ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોને વીબી-જી રામ જી યોજના વિશે માહિતગાર કરવા ગુજરાત ભાજપ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code