1. Home
  2. Tag "BJP"

રાઘવ ચઢ્ઢા સહિત AAP ના તમામ 7 બાગી સાંસદો હવે ભાજપના, રાજ્યસભાએ આપી મંજૂરી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) માટે રાજકીય સંકટ ઘેરૂ બન્યું છે. રાજ્યસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન અનુસાર, રાઘવ ચઢ્ઢા સહિત આપ છોડનારા તમામ 7 સાંસદોને હવે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે માન્યતા આપી દેવામાં આવી છે. આ ફેરફાર સાથે જ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ભાજપના […]

મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોહીયાળ બની, ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા

મહેસાણા, 25 એપ્રિલ 2026: ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે.જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હોવાથી ઉમેદવારો અને કાર્યકરો મતદારોને મનાવવા માટે ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યાં છે. બીજી તરફ મહેસામામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોહીયાળ બની હોવાનું […]

રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાઈ ગયા છે. તે સાથે આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાજ્યસભાના ત્રણ સાંસદો આજે શુક્રવારે (24 એપ્રિલ, 2026) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા છે. આ પહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડવાની […]

આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદો ભાજપમાં જોડાશે

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026 – આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. પક્ષના 10માંથી સાત સાંસદોએ એક સાથે AAP સાથે છેડો ફાડી દીધો છે અને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ સાંસદોએ આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને પક્ષ છોડવાની અને ભાજપમાં વિલય કરવાની જાહેરાત કરી છે. રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના બે […]

ગૃહમંત્રી અમિત શાહે કયા આધારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે?

કોલકાતા, 24 એપ્રિલ, 2026 – ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ આ વખતે નિશ્ચિતરૂપે સરકાર બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે શુક્રવારે કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. રાજ્યમાં ગઈકાલે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનને આધારે આ દાવો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ અમિત શાહનો મોટો દાવો પશ્ચિમ […]

લખનૌમાં ભાજપની જનઆક્રોશ રેલી, સીએમ યોગી 5,000 થી વધુ મહિલાઓ સાથે રસ્તા પર ઉતર્યા

લખનૌ, 21 એપ્રિલ 2026: લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થવાના વિરોધમાં ભાજપે મંગળવારે રાજધાનીમાં એક જાહેર આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ રેલીનું નેતૃત્વ કર્યું હતું. આ કૂચમાં હજારો મહિલાઓ તેમની સાથે હતી. મુખ્યમંત્રી યોગી કાળઝાળ ગરમીમાં રસ્તાઓ પર ફર્યા હતા. તેમણે સૂર્યથી પોતાને બચાવવા માટે ભગવા રંગનો સ્કાર્ફ પહેર્યો હતો. […]

સુરતના ઉધનાથી પશ્વિમ બંગાળ માટે ભાજપ દ્વારા મફતમાં વોટર્સ સ્પેશિયલ ટ્રેન રવાના

સુરત, 20 એપ્રિલ 2026: BJP to send free voters special train from Udhna to West Bengal પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સુરતમાં રહેતા પશ્વિમ બંગાળના શ્રમિક એવા મતદારોને મતદાન માટે લઈ જવા ભાજપ દ્વારા ખાસ એસી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. કૂલ 5000 મતદારો તેમના માદરે વતન મફતમાં લઈ જવાનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ 1300 […]

ભાજપને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશેઃ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીધામ, 16 એપ્રિલ, 2026 – ભાજપને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશે તેમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપા ઉમેદવારોના સમર્થનમાં કચ્છ જિલ્લાના અબડાસા અને ગાંધીધામ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’ને તેઓ સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કચ્છની વિકાસયાત્રા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વિશે ઉલ્લેખ […]

બાયડ ભાજપમાં મોટું ગાબડું: ૨૦૦થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

બાયડ, 10 એપ્રિલ, 2026 – અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લાંક વિસ્તારમાં ભાજપને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ભાજપની નીતિઓથી નારાજ થઈ દેસાઈપુરાકંપા ગ્રામ પંચાયતના સરપંચ કેશાજી ઠાકોર અને ડેપ્યુટી સરપંચ દિપેશભાઈ પટેલ સહિત ૨૦૦થી વધુ સક્રિય કાર્યકરો આજે કેસરીયો ત્યાગી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય […]

હિન્દુઓને ઝેરીલા સાપ ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ

મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ દિલ્હીના સાકેત સાયબર સેલમાં ગુનાઈત ફરિયાદ દાખલ: અસામમાં આપેલા ભાષણને ‘હેટ સ્પીચ’ ગણાવાયું નવી દિલ્હી, 9 એપ્રિલ, 2026 – હિન્દુઓને અને તેમાંય ખાસ કરીને આરએસએસ તથા ભાજપના કાર્યકરોને ઝેરીલા સાપ ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આસામમાં થોડા દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ મતદારોને સંબોધતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code